દિવાળી પછી કોરોનાએ ઉથલો મારતાં મધ્ય ગુજરાતની કઈ પાલિકાએ જાહેર કર્યું બે દિવસનું લોકડાઉન?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Nov 2020 04:28 PM (IST)
ઓડ નગરપાલિકા દ્વારા સ્વંયભુ લોકડાઉન આપી દેવાની ફરજ પડી છે. એક બાદ એક કેસ વધી જતાં નગરપાલિકા દ્વારા બે દિવસનું લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
આણંદઃ આણંદ જિલ્લામાં દિવાળીના તહેવાર બાદ કોરોનોના કહેર વધતા ઓડ નગરપાલિકા દ્વારા સ્વંયભુ લોકડાઉન આપી દેવાની ફરજ પડી છે. એક બાદ એક કેસ વધી જતાં નગરપાલિકા દ્વારા બે દિવસનું લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર બાદ સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે મોટા શહેરોમાં લોકડાઉન જાહેર કરાયા બાદ સાવચેતીના ભાગરૂપે આણંદની ઓડ નગરપાલિકા દ્વારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરેલ છે. બે દિવસ માટે લોકડાઉન આપવામાં આવવાથી સંક્રમણ ઘટે તેવી આશા સાથે ગામના દરેક માર્ગો તેમજ ધાર્મિક સ્થળો સેનેટાઇઝ કરવામાં આવ્યા છે.