ભાવનગર: ભાવનગરના ઉખરલા ગામના નાગધણિંબા તળાવમાં ન્હાવા માટે પડેલા ત્રણ યુવકો પાણીમાં ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. ઉખરલા ગામના ત્રણ યુવકો તળાવમાં ડૂબતા સ્થાનિક તરવૈયાઓને જાણ કરવામાં આવી હતી. તળાવમાં ડૂબવાથી એક યુવકનું મોત થયું છે જ્યારે અન્ય બે યુવકોને બચાવી લેવામાં આવ્યા છે.


જાણકારી મુજબ, સ્થાનિક તરવૈયાઓએ બે યુવકોને બચાવી લીધા હતા, જ્યારે એક યુવકનું મોત થયું છે. જે બે યુવકોને બચાવી લેવામાં આવ્યા છે તેમને ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.