ભાવનગર: મહુવા તાલુકાના મોટી જાગધારના આર્મી જવાને દિલધડક રેસ્ક્યુ કરી બે લોકોના જીવન બચાવ્યા છે. પાણીમાં તણાઈ રહેલા એક મહિલા અને યુવાન સહિત બેને બચાવી લીધા હતા. જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતો વિશાલ ડોડીયા નામનો આર્મી જવાન ભગુડા દર્શને આવ્યો હતો. તે દરમિયાન મહુવા તાલુકાના લોંગડીથી કસાણ જવાના રસ્તે નાળા પરથી પસાર થતી ઇકો ગાડી તણાવા લાગી હતી. જેસર પંથકમાં ભારે વરસાદના કારણે પુલ ઉપર ભારે પ્રવાહ વહેતો હતો.




નાળા પરથી ભારે પ્રવાહ વહેતો હોવા છતાં ઇકો કાર ચાલકે નાળા પરથી પસાર થવાની કોશિશ કરી હતી. નાળા પર અડધે પહોચતા ભારે પ્રવાહમાં ઇકો કાર તણાવા લાગી હતી. જેમાં બેસેલા ચાર લોકો બહાર નીકળી ગયા હતા જ્યારે એક મહિલા અને એક યુવાન તણાયો હતો.મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા ઇકો વાહનમાં એક મહિલા સહિત છ લોકો સવાર હતા.તે દરમ્યાન દર્શન કરવા આવેલ આર્મી જવાન વિશાલ ડોડીયા લોકોને બચાવવા નદીમાં કૂદી પડ્યો હતો. તેમજ ભારે પ્રવાહ હોવા છતાં દિલધડક રેસ્કયુ કરી મહિલા અને યુવાન બંનેને બચાવી લીધા હતા. અહેવાલ મળતા મહુવા મામલતદાર અને દાઠા પી.એસ.આઇ. તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયા હતા.


એરફોર્સનું દિલધડક રેસ્ક્યુ


છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના પરિણામે અનેક નદી નાળાઓ છલકાયા છે. ગત તારિખ 1 જુલાઇના રોજ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સુતરેજ ગામે ભારે વરસાદના પરિણામે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી.તે દરમિયાન એક ખેતરમાં પાણી ઘૂસી જતાં ખેતમજૂરી કરતાં બે લોકો સામળા સાંગાભાઈ (ઉ.વ.30) અને માવદિયા પોલાભાઈ (ઉ. વ.50) પાણીના પ્રવાહમાં ફસાયા હતા. ખેતરમાંથી બહાર નીકળવાની કોશિસ કરતાં તેઓ પાણીના પ્રવાહમાં તણાયા હતા.



બાદમાં તેઓએ ગામના સરપંચને મદદ માટે ફોન કર્યો હતો.પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાના લીધે તેઓને બહાર કાઢવા મુશ્કેલ હોય જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગર જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરી હેલિકોપ્ટરની મદદ માંગતા જામનગર એરફોર્સના જવાનોએ તાત્કાલિક સુતરેજ ગામે પહોંચીને બંને યુવકોને એરલીફ્ટ કર્યા હતા.બાદમાં જામનગર સલામત રીતે પહોંચાડવામાં આવ્યા હતા. કલેકટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જામનગરથી બંનેને સલામત રીતે ગતરાત્રિના રોજ પોતાના ઘરે પરત મોકલવામાં આવ્યા છે. 









ત્યાર બાદ જામનગર એરફોર્સથી હેલિકોપ્ટર આવ્યું અને અમને એરલીફ્ટ કરી જામનગર કલેકટર ઓફિસ સલામત રીતે પહોંચાડવામાં આવ્યા છે.અહી અમને ભોજન કરાવ્યું,વાહનની વ્યવસ્થા કરી આપી છે અને અમને સલામત રીતે અમારા ઘર સુધી પહોંચડવામાં આવ્યા. માત્ર એક કલાકની અંદર મદદ મળતા અમારો જીવ બચી ગયો છે. તે બદલ હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર,સરપંચ,આગેવાનો તેમજ જામનગર જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂ છું. 


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial