ભાવનગરઃ કોવિડ-19 મહામારીએ (Covid-19 Pandemic) સમગ્ર ભારતમાં કહેર મચાવ્યો છે અને સતત પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. આઈપીલ-2021 (IPL 2021) પણ કોરોના મહામારીના કારણે અધવચ્ચેથી સ્થગિત કરી દેવામાં આવી છે અને આ લીગમાં રમતાં અનેક ખેલાડીઓ અને તેમના પરિવારજનો કોરોનાથી સંક્રમિત થયા છે. આ લિસ્ટમાં રાજસ્થાન રોયલ્સના (Rajasthan Royals) ફાસ્ટ બોલર અને ગુજરાતી ક્રિકેટર ચેતન સાકરિયા (Chetan Sakariya) પણ સામેલ છે.


ચેતનના પિતા કોવિડ પોઝિટિવ (Covid Positive) આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે તેમનું નિધન થયું હતું. રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટના સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઈને આ વાતની પુષ્ટિ કરી હતી. IPLમાં ચેતને સાત વિકેટ લીધી હતી. ચાલુ વર્ષે જ્યારે તે સૈયદર મુસ્તાક અલી ટ્રોફીમાં રમતો હતો ત્યારે તેના ભાઈનું નિધન થયું હતુ.



થોડા દિવસ પહેલા ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં ચેતન સાકરિયાએ કહ્યું હતું, હું નસીબદાર છું કે થોડા દિવસ પહેલા જ ફ્રેન્ચાઇઝીએ મારા હિસ્સાની ચૂકવણી કરી હતી. મેં તરત જ ઘરે પૈસા મોકલ્યા અને તેનાથી મારા પિતાની સારવારમાં ઘણી મદદ મળી. ચેતનના કહેવા મુજબ તેના પિતા એક સપ્તાહ પહેલા કોવિડ પોઝિટિવ આવ્યા હતા. જો આઈપીએલ ન હોત તો તે પિતાની સારવાર ન કરાવી શકત.


આઈપીએલ બંધ કરવા મુદ્દે વાત કરતાં તેણે કહ્યું, કેટલાક લોકો તેને બંધ કરી દેવાની માંગ કરે છે પરંતુ હું કહેવા માંગુ છું કે મારા પરિવારમાં એકમાત્ર કમાનારો વ્યક્તિ છું. ક્રિકેટ મારી કમાણીનું એક માત્ર સાધન છે. હું મારા પિતાની આઈપીએલમાંથી મળેલા રૂપિયાથી જ સારી સારવાર કરાવી શકુ છું અને  જો આ ટુર્નામેન્ટ ન હોત તો કદાચ તેમની સારવાર પણ શક્ય ન બનત. હું ખૂબ ગરીબ પરિવારમાંથી આવું છું અને મારા પિતાએ સમગ્ર જિંદગી ઓટો ચલાવી છે. આ લીગથી મારી જિંદગી બદલાઈ ગઈ છે. ચેતનને રાજસ્થાન રોયલ્સે એક કરોડ વીસ લાખમાં ખરીદ્યો છે.


દેશમાં લોકડાઉન લાગવાની અટકળો, મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી બેઠક


Ahmedabad: હાર્દિક પટેલના પિતાનું  કોરોનાથી નિધન