ભાવનગર: ભાવનગર વિધાયાનગર પોલીસ લાઈનમાં રહેતા સુખભાઈ શિયાળ નામના પોલીસ કોન્સ્ટેબલે પોતાના 3 બાળકોની હત્યા કરી છે. પોલીસ કોન્સ્ટેબલ આસાન વિભાગમા ફરજ બજાવે છે. આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસવડા સહિત મોટો પોલીસ કાફલો દોડી ગયો છે.


આ હત્યા ક્યા કારણોસર કરવામાં આવી તેની કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. હત્યા પોલીસ લાઈનમાં બની હોવાથી આ અંગે કોઈ પણ પોલીસ અધિકારી કાઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે.