આ ઉપરાંત 75 વર્ષ કરતાં વધારે વયના સીનિયર સિટિઝન્સને આવકવેરા રીટર્ન ભરવામાંથી મુક્તિ આપી છે. જો કે આ લાભ એવા સીનિયર સિટિઝન્સને જ મળશે કે જેમને પેન્શન તથા વ્યાજની આવક હશે તેમને જ આ લાભ મળશે.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, દેશ આઝાદીનાં 75 વર્ષ ઉજવવા જઈ રહ્યું છે ત્યારે 75 વર્ષ કરતાં વધારે વયના સીનિયર સિટિઝન્સને આ પ્રસંગે આવકવેરાની પ્રક્રિયામાંથી મુક્તિ આપવા આ નિર્ણય લેવાયો છે.