શું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે અને આ જ કારણે હવે એટીએમમાંથી માત્ર 100, 200 અને 500 રૂપિયાની નોટ ઉપાડી શકાશે? આ અહેવાલ સોશિયલ મીડિયા પર અને અનેક ન્યૂઝ સાઈટ પર વાયરલ થઈ રહ્યા છે. હવે આ મામલે સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે.


સરકારે આ અહેવાલને ખોટા ગણાવ્યા છે. આ મામલે સરકાર તરફથી PIB Fact Checkએ ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, ‘એક ન્યૂઝ આર્ટિકલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે. આ જ કારણએ એટીએમમાંથી માત્ર 100, 200 અને 500 રૂપિયાની નોટ ઉપાડી શકાશે. પીઆઈબી ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો સાબિત થયો છે.’

પીઆઈબીએ કહ્યું કે, આ દાવો ખોટો છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIએ 2000 રૂપિયાની નોટ છપવાનું બંધ નથી કર્યું.


નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.