8th Pay Commission Formula: ભારત સરકારે તાજેતરમાં 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે, જેના કારણે અંદાજે 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને તેમના પગાર અને પેન્શનમાં વધારો થવાની અપેક્ષા છે. આ કમિશન હેઠળ પગાર વધારાનો મુખ્ય આધાર ફિટમેન્ટ ફેક્ટર હશે, જે કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ ગુણક તરીકે કામ કરે છે.

Continues below advertisement


8મા પગારપંચની ફોર્મ્યુલા


વાસ્તવમાં, કોઈપણ પગાર પંચમાં પગાર અને પેન્શન વધારવા માટેનું સૌથી મહત્વનું પરિબળ એ ફિટમેન્ટ ફેક્ટર છે. આ એક ગુણક છે જેનો ઉપયોગ કર્મચારીઓના હાલના મૂળભૂત પગારમાં વધારો કરવા માટે થાય છે. 7માં પગાર પંચમાં આ પરિબળ 2.57 હતું, જેના કારણે કર્મચારીઓના પગારમાં સરેરાશ 23.55 ટકાનો વધારો થયો હતો. હવે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 8માં પગાર પંચમાં, આ પરિબળને 2.28 થી 2.86ની વચ્ચે રાખવામાં આવી શકે છે, જેના કારણે કર્મચારીઓને 20 ટકાથી 50 ટકાના પગારમાં વધારો થવાની આશા છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો વર્તમાન મૂળ પગાર રૂ. 18,000 છે અને ફિટમેન્ટ ફેક્ટર 2.86 છે, તો સંશોધિત મૂળ પગાર રૂ. 51,480 હશે.


8મા પગાર પંચ વિશે મોટી વાતો


8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2026થી લાગુ થવાની અપેક્ષા છે. લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો આનો લાભ મેળવશે. પગારની સાથે 8મા પગાર પંચમાં DA, HRA, TA, મેડિકલ, એજ્યુકેશન વગેરે જેવા વિવિધ ભથ્થાં પણ વધારી શકાય છે.


8મું પગાર પંચ શા માટે મહત્વનું છે ?


8મા પગાર પંચની રચના એ સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જે તેમના પગાર અને પેન્શન વધારવાની સાથે તેમના જીવનધોરણને સુધારવામાં મદદ કરશે. આ કમિશન મોંઘવારી અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પગાર માળખામાં જરૂરી ગોઠવણો કરશે, જેથી કર્મચારીઓને તેમના કામ પ્રમાણે યોગ્ય વળતર મળી શકે.


8મું પગાર પંચ લાગુ ક્યારથી થશે ?


7મા પગાર પંચનો સમયગાળો 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તેથી, 1 જાન્યુઆરી, 2026 થી 8મું પગાર પંચ લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે, કેટલાક અહેવાલો અનુસાર, તેમાં વિલંબ થઈ શકે છે. 16 જાન્યુઆરી, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે 8મા પગાર પંચને મંજૂરી આપી હતી.