સરકારે આધાર બનાવવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે કહ્યું છે કે 'આધાર' માટે પાત્ર વ્યક્તિ ફિંગરપ્રિન્ટ્સ ઉપલબ્ધ ન હોય તો 'આઈરિસ' સ્કેનનો ઉપયોગ કરીને નોંધણી કરાવી શકે છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કેરળની મહિલા જોસીમોલ પી જોસના નામાંકનની પુષ્ટિ કર્યા બાદ આ નિવેદન આવ્યું છે. મહિલાના હાથ પર આંગળીઓ ન હોવાથી આધાર માટે નોંધણી કરાવી શકી ન હતી. આધારના નિયમોમાં આ ફેરફારથી લાખો લોકોને ફાયદો થશે. ઘણા લોકો આધાર નોંધણી કરાવી શક્યા ન હતા કારણ કે તેમની પાસે આધાર નોંધણી માટે ફિંગરપ્રિન્ટ્સ ન હતા. નવા ફેરફાર સાથે, હવે ફિંગરપ્રિન્ટની જરૂર નથી.



ફિંગર પ્રિન્ટ આપવામાં અસમર્થ લોકોને સમસ્યાનો સામનો કરવો નહીં પડે


નિવેદન અનુસાર, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) ની એક ટીમ કેરળના કોટ્ટાયમ જિલ્લાના કુમારકામની રહેવાસી જોસને તે જ દિવસે તેના ઘરે મળી અને તેનો આધાર નંબર જનરેટ કર્યો. ચંદ્રશેખરે કહ્યું કે તમામ આધાર સેવા કેન્દ્રોને અસ્પષ્ટ ફિંગરપ્રિન્ટ અથવા અન્ય સમાન વિકલાંગતા ધરાવતા લોકોને વૈકલ્પિક બાયોમેટ્રિક્સ લઈને આધાર જારી કરવાનું કહેવામાં આવ્યું છે. નિવેદન અનુસાર, “એક વ્યક્તિ જે આધાર માટે પાત્ર છે પરંતુ ફિંગરપ્રિન્ટ આપવામાં અસમર્થ છે તે ફક્ત આઇરિસ સ્કેનનો ઉપયોગ કરીને નોંધણી કરાવી શકે છે.


આંખ સ્કેન ન થઈ શકે તો પણ આધાર બનશે


તેવી જ રીતે, એક પાત્ર વ્યક્તિ કે જેની આંખને સ્કેન નથી કરી શકાય તે ફક્ત તેની ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને નોંધણી કરાવી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આંગળી અને આઇરિસ બંને બાયોમેટ્રિક્સ પ્રદાન કરવામાં અસમર્થ વ્યક્તિનું નામ, સરનામું, જન્મ તારીખ ઉપલબ્ધ બાયોમેટ્રિક્સ સાથે સરખાવવામાં આવે છે.  


એક વ્યક્તિ જે આધાર માટે પાત્ર છે, પણ આંગળીઓના નિશાન આપવા માટે અસમર્થ છે, તે ફક્ત આઈરિસ સ્કૈન (આંખની કિકીનું સ્કેન કરીને) આધાર બનાવી શકે છે. આવી જ રીતે એક પાત્ર વ્યક્તિ જેની આંખની કિકી કોઈ કારણસર નથી તો તે ફક્ત ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને આધાર માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial