Jack Ma: એક સમયે એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગણાતા જેક મા માટે શરૂ થયેલી મુશ્કેલીઓ હજી ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. ઘણા સમયથી તેના વિશે એવા અહેવાલો હતા કે તે ગાયબ છે, પરંતુ 2 મહિના પહેલા તેના વિશે સમાચાર આવ્યા હતા કે તે જાપાનમાં રહે છે. હવે એવા અહેવાલ સામે આવ્યા છે જે જેક મા માટે સૌથી મોટા આંચકા સમાન છે. એન્ટ ગ્રૂપના સ્થાપક જેક માએ પોતાની કંપની પરથી નિયંત્રણ ગુમાવી દીધું છે. હવે એન્ટ ગ્રુપમાં તેમનો હિસ્સો ઘટીને માત્ર 10 ટકા રહી ગયો છે અને કંટ્રોલિંગ રાઈટ્સ પણ સમાપ્ત થઈ રહ્યા છે.


એંટ ગ્રુના નિવેદન દ્વારા સમાચારની પુષ્ટિ થઈ


આજે સવારે એન્ટ ગ્રૂએ એક એક નિવેદન બહાર પાડ્યું હતું. જે અનુસાર ચીનના અબજોપતિ અને જાયન્ટ ઈ-કોમર્સ કંપની અલીબાબાના સ્થાપક જેક માનું હવે કંપની પર નિયંત્રણ રહેશે નહીં. આ ફિનટેક જાયન્ટે પોતાના  શેરહોલ્ડિંગ માળખું એવી રીતે ગોઠવ્યું હતું કે અબજોપતિ જેક મા પાસે હવે કંપનીમાં કોઈ અધિકારો અને મતદાન અધિકારો નહીં રહે. કંપનીએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, ગ્રુપના શેરધારકો આવા એડજસ્ટમેન્ટ માટે સંમત થયા છે, જેબ બાદ જેક માના તમામ વોટિંગ રાઈટ્સ સમાપ્ત થઈ ગયા છે.


એન્ટ ગ્રૂપે IPO માટે વધુ રાહ જોવી પડશે


આ અગાઉ સૂત્રો તરફથી એવા અહેવાલ સામે આવી રહ્યા હતા, પરંતુ હવે ન્યૂઝ એજન્સી AFP પર એક સ્પષ્ટતા આવી છે, જેમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે જેક માની સૌથી મૂલ્યવાન સંપત્તિ તેમના હાથમાંથી નીકળી ગઈ છે. એન્ટ ગ્રૂપની શેરહોલ્ડિંગ પેટર્નમાં ફેરફારનો અર્થ એ છે કે તેમણે તેના IPO માટે વધુ રાહ જોવી પડશે જેની પહેલેથી જ લાંબી રાહ હોવામાં આવી રહી છે. વર્ષ 2021માં ચીનની સરકારે એન્ટ કંપનીના બ્લોકબસ્ટર $ 37 બિલિયન IPO પર પ્રતિબંધ મૂક્યો હતો અને અલીબાબા કંપની પર વિશ્વાસનો દુરુપયોગ કરવાના નામે રેકોર્ડ $ 2.8 બિલિયનનો દંડ લગાવ્યો હતો.


જેક માની મુશ્કેલીઓ શા માટે અને ક્યારે શરૂ થઈ?


જો કે આ વિકાસથી એન્ટ ગ્રૂપના શેરધારકોની આર્થિક સ્થિતિ પર કોઈ અસર નહીં થાય, પરંતુ જેક મા માટે આ સમાચાર દુઃખદ હશે કારણ કે હવે જે કંપનીના નિર્માણમાં તેમનો સૌથી મોટો ફાળો હતો તેમાં તેમનો વોટિંગ અધિકાર ઘટીને લગભગ 50 ટકાથી ઘટીને માત્ર 6.5 ટકા થઈ ગયો છે. જેક માની મુસીબતો વર્ષ 2020માં ત્યારે શરૂ થઈ જ્યારે તેમણે ચીની સરકારની ટીકા કરી હતી. ત્યાર બાદથી તેમની નેટવર્થમાં પણ ઘટાડો થયો.


ચીન સરકારની ટીકા કર્યા બાદ તેમની કંપનીઓને હેરાન કરવામાં આવી


જેક માએ 2020માં ચીનની નીતિઓની ટીકા કરી હતી. ચીનની નાણાકીય નિયમનકારી પ્રણાલીની ટીકા કરતા તેમણે સરકારી માલિકીની બેંકોની તુલના વ્યાજખોરો સાથે કરી હતી. તેમણે જાહેર ક્ષેત્રની બેંકો પર રસુખદારોની દુકાનની માનસિકતા હોવાનો આરોપ લગાવ્યો. તેમણે આંતરરાષ્ટ્રીય નાણાકીય નિયમન કરાર (બેઝલ એકોર્ડ્સ) પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ત્યારથી જ તેમના દ્વારા બનાવવામાં આવેલી એન્ટ અને અલીબાબા કંપનીઓને ચીની સરકાર દ્વારા હેરાન કરવામાં આવી રહી છે.