Budget 2019: મોદી સરકારે નાના વેપારીઓ માટે કરી મોટી જાહેરાત, જાણો વિગતે
abpasmita.in | 05 Jul 2019 12:01 PM (IST)
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં નાના દુકાનદારો માટે મોટી જાહેરત કરી છે.
નવી દિલ્હીઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં મોદી સરકાર-2નું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે, મોદી સરકારનો ટાર્ગેટ, મજબૂત દેશ અને મજબૂત નાગરિક બનાવવાનો છે અને સરકારની તમામ નીતિઓ આ જ કામ કરી રહી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં નાના દુકાનદારો માટે મોટી જાહેરત કરી છે. તેમણે કહ્યું કે, હવેથી નાના દુનાકદારોને પેંશનની સુવિધા આપવામાં આવશે. સાથે જ માત્ર 59 મિનિટમાં તમામ દુકાનદારોને લોન આપવાની યોજના છે. તેનો લાભ 3 કરોડથી વધારે નાના દુકાનદારોને મળશે.