સર્વેમાં હિસ્સો લેનારા 76 ટકા ભારતીયો માને છે કે, મહામારીએ તેમને ખર્ચ અંગે વિચારવા મજબૂર કર્યા છે. વૈશ્વિક સ્તર પર આમ વિચારનારા લોકોની સંખ્યા 62 ટકા છે. સર્વે મુજબ ભારતીય તેમનો ખર્ચ ડિજિટલ રીતે વધારે કરવા ઈચ્છે છે. 78 ટકા ભારતીયોએ ઓનલાઈન ખરીદી પસંદ કરી હતી, જ્યારે વિશ્વમાં આ સરેરાશ 78 ટકા છે.
સર્વેમાં 64 ટકા ભારતીયોએ મહામારીની પહેલાના ખર્ચની સરખામણીએ ટ્રાવેલ અને રજા ખર્ચમાં ઘટાડો કર્યો છે. 56 ટકા ભારતીયોએ કપડા પરનો ખર્ચ ઘટાડ્યો છે. 41 ટકા ભારતીયોના કહેવા મુજબ ટ્રાવેલ તથા રજા પર ઓછો ખર્ચ કરશે.