નવી દિલ્હીઃ આધાર સાથે પાન કાર્ડને લિન્ક કરવાની તારીખને ફરીથી એકવાર લંબાવી દેવામાં આવી છે. આવકવેરા વિભાગ માટે નીતિઓ બનાવતું શીર્ષ એકમ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ પાન કાર્ડ-આધાર લિંક કરાવવાની છેલ્લી તારીખ એક વર્ષ માટે એટલે કે 31 માર્ચ 2023 સુધી લંબાવી દીધી છે. CBDTએ બુધવારે મોડી સાંજે આ મામલે એક નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. 


નોટિફિકેશનમાં લખ્યું છે કે, ટેક્સ પેયર્સની અસુવિધા ઘટાડવા માટે Aadhar અને PAN Card લિંક કરવાની સમય અવધી 31 માર્ચ 2023 સુધી વધારી દેવામાં આવી છે. સરકારે આ ચોથી વખત પાન અને આધાર કાર્ડ લિંક કરવાની તારીખ લંબાવી છે. જે લોકોએ પાન-આધાર હજી સુધી લિંક નથી કર્યાં, તેમનું પાન કાર્ડ કોઈપણ સમસ્યા વિના CBDTની આ નવી વ્યવસ્થા બાદ 31 માર્ચ 2023 સુધી કામ કરતું રહેશે. આવી રીતે IT Return દાખલ કરવાથી લઈ રિફંડ મેળવવા સુધીનો આનો ઉપયોગ પહેલાની જેમજ કરી શકાશે.


અત્યાર સુધી ટેક્સપેયર્સ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે મફતમાં લિંક કરી શકતા હતા, તેમની પાસેથી આ કામ માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નહોતો. પરંતુ હવે આ 'મફત સેવા' બંધ કરી દેવામાં આવી છે. એવામાં જો કોઈ ટેક્સપેયર્સ 1 એપ્રિલ 2022થી લઈ 30 જૂન 2022 વચ્ચે પોતાનું PAN-Aadhar link કરાવે છે તો તેણે 500 રૂપિયા અને 30 જૂન 2022 પછી લિંક કરાવે છે તો 1000 રૂપિયા ફી ચૂકવવી પડશે.


આ પણ વાંચો......... 


ભારતમાં ધૂમ મચાવનારી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ The Kashmir Files આ દિવસે UAEમાં રીલિઝ થશે


હવામાન વિભાગે રાજ્યમાં આવતીકાલથી ચાર દિવસ હીટવેવની કરી આગાહી


Aadhaar Pan Link: પાન-આધાર લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો લિંક નહીં કરાવો તો કેટલો લાગશે દંડ


પ્રમોશનમાં અનામત રદ કરવાના વિરોધમાં કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટમાં કહ્યુ- 4.5 લાખ કર્મચારીઓને થશે અસર


Bank Rules: જો તમારું પણ આ બેંકોમાં ખાતું છે, તો એપ્રિલથી નિયમોમાં થશે ફેરફાર, જલ્દી કરો