ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલ અનુસાર, આ મહિનાના અંતમાં ત્રીજા ક્વાર્ટરના પરિણામોના રિપોર્ટની જાહેરાત કર્યા બાદ એચએસબીસી નોકરીમાં છટણીની શરૂઆત કરવાની જાહેરાત કરી શકે છે. જાણકારોનું એવું પણ માનવું છે કે આ જૉબ કટ મુખ્ય રીતે ઉચ્ચ-પગારદાર ધરાવનારાઓ પર કેન્દ્રીત રહેશે.
5 ઑગસ્ટે એચએસબીસી સમૂહના મુખ્ય કાર્યપાલક અધિકારી (CEO) જૉન ફ્લિન્ટ પદેથી હટી ગયા હતા. તે સમયે સમૂહના ચેરમેન માર્ક ટકરે કહ્યુ હતું કે જે જટિલ અને પડકારરૂપ વૈશ્વિક માહોલમાં બેંક કામ કરી રહી છે, બોર્ડનું માનવું છે કે આ પડકારોનો સામનો કરવો જરૂરી છે. ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધ વધવાથી વેપારમાં ઉદાસીન માહોલ છે. જેના કારણે છટણી કરવામાં આવી રહી છે.