નવી દિલ્હી: IRCTC દ્વારા ટ્રેન ટિકિટના બુકિંગ પર આજથી સર્વિસ ચાર્જ લાગશે. નોન એસી ટિકિટ પર 15 રૂપિયા અને એસી ક્લાસ પર 30 રૂપિયા ચાર્જ લાગશે. GST અલગથી લાગૂ થશે. IRCTC દ્વારા ભારતીય રેલવેની કેટરિંગ, ટુરીઝમ અને ઓનલાઇન ટિકિટની કામગીરી સંભાળવામાં આવે છે.


સરકારે 3 વર્ષ પહેલા IRCTC દ્વારા ટ્રેનની ટિકિટ બુકિંગ પર સર્વિસ ચાર્જ ખતમ કરી દીધો હતો. ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આવુ કરવામાં આવ્યું હતું. તે સમયે નોન એસી ટિકિટ પર 20 અને એસી ટિકિટ પર 40 રૂપિયા ચાર્જ લાગતો હતો.

નવેમ્બર 2016માં નોટબંધી બાદ IRCTCએ જૂન 2017 સુધી સર્વિસ ચાર્જમાં છૂટ આપી હતી. ત્યારબાદ તે છૂટ આગળ વધારવામાં આવી હતી. રેલવે બોર્ડ હવે ફરી સર્વિસ ચાર્જ લાગૂ કરવાની મંજૂરી આપી ચૂક્યું છે. અધિકારીઓનું કહેવું છે કે ચાર્જ હટાવવાના લીધે નાણાકીય વર્ષ 2016-17માં ઇન્ટરનેટ ટિકિટ રેવન્યૂ 26 ટકા ઘટી ગઇ હતી.

વાહન ચાલકો થઈ જાવ સાવધાન, આજથી ટ્રાફિક નિયમ તોડશો તો થશે તોતિંગ દંડ, જાણો વિગતે

અમદાવાદ સહિત રાજ્યમાં કઈ-કઈ જગ્યાએ ગાજવીજ સાથે પડશે વરસાદ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત

IND v WI: પ્રથમ ઈનિંગમાં ભારતે 416 રન બનાવ્યા, હનુમાની વિહારીની સદી; વેસ્ટ ઈન્ડિઝની ખરાબ શરૂઆત

HSRP નંબર પ્લેટ વગર વાહન દોડાવતાં લોકો થઈ જાવ સાવધાન, જાણો કારણ