એમસીએક્સ-એસએક્સ મામલામાં જિજ્ઞેશ શાહની ઘરપકડ
abpasmita.in | 21 Sep 2016 09:32 AM (IST)
મુંબઈઃ એનએસઈએલના વિવાદસ્પદ ડિરેક્ટર જિજ્ઞેશ શાહની સીબીઆઈએ ધરપકડ કરી છે. ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ ઇન્ડિયા લિમિટેડ (એફટીઆઈએલ)નાએમએસઈઆઈ (અગાઉ એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ)ના લાઈસન્સ મંજૂર કરવાના કેસમાં સીબીઆઈની ટીમે કંપનીની ઓફિસો પર મંગળવારે દરોડા પાડ્યા હતા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ), મેટ્રોપિલિટન સ્ટોક એક્સચેન્જ (એમએસઈઆઈ) અને એનએસઈએલના ડિરેક્ટરો જિજ્ઞેશ શાહ, જોસેફ મેસ્સી અને શ્રીકાંત જાવલગેકરના નિવાસસ્થાનોએ દરોડા પાડવામાં આવ્યા હતા. સેબીઆના હાલના અને ભૂતપૂર્વ પાંચ અધિકારીઓને ત્યાં પણ સીબીઆઈએ દરોડાની કામગીરી હાથ ધરી છે. સીબીઆઈએ નોંધાવેલી એફઆઈઆરમાં આ અધિકારોના નામ આપવામાં આવ્યા હતા. જિજ્ઞેશ શાહ, જોસેફ મેસ્સી અને શ્રીકાંત જાવલગેકર એમસીએક્સ અને એમએસઈઆઈમાં પણ ડિરેક્ટર પદે હતા.