Jobs In IT Sector: એક તરફ, IT સેક્ટરમાં નોકરી છોડીને જતા કર્મચારીઓથી આઈટી કંપનીઓ પરેશાન છે. ત્યારે હવે આગામી દિવસોમાં આ સમસ્યા વધવાની છે. આગામી એક વર્ષમાં આઈટી સેક્ટરમાં કામ કરતા કુલ લોકોમાંથી અડધા લોકો નવી નોકરીની શોધ શરૂ કરી શકે છે.


2022ના આઈટી સ્કીલ્સ એન્ડ સેલેરી રિપોર્ટ અનુસાર, 66 ટકા આઈટી લીડર્સ તેમની ટીમના સભ્યોની કુશળતામાં મોટો તફાવત જોઈ રહ્યા છે. જો કે ગયા વર્ષની સરખામણીએ તે 10 ટકા ઓછો છે. પરંતુ કંપનીઓ છોડવાની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. રિપોર્ટ અનુસાર IT સેક્ટર ટેલેન્ટના અભાવની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આ હોવા છતાં, 53 ટકા લોકો આગામી 12 મહિનામાં નવી નોકરી શોધવાનું શરૂ કરશે.


રિપોર્ટ અનુસાર, ગત વર્ષે નોકરી બદલનારા આઈટી પ્રોફેશનલ્સે નોકરી છોડવાના ત્રણ કારણો આપ્યા હતા. જેમાં વધુ સારું વેતન, તાલીમ વિકાસનો અભાવ અને કાર્ય-જીવન સંતુલન મુખ્ય મુદ્દાઓ હતા. નોકરી છોડનારાઓથી કંપનીઓ પણ પરેશાન છે, પરંતુ અમેરિકા, યુરોપિયન દેશોમાં આર્થિક સંકટ અને મંદીને કારણે કંપનીઓ હાયરિંગ પ્લાન મોકૂફ રાખવાનો પ્રયાસ કરી રહી છે.


તાજેતરમાં એવું જાણવા મળ્યું હતું કે જે વિદ્યાર્થીઓને વિપ્રો, ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા જેવી અગ્રણી આઇટી કંપનીઓ દ્વારા ઓફર લેટર્સ આપવામાં આવ્યા હતા, વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુના ઘણા રાઉન્ડ અને કડક પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવા માટે કહેવામાં આવ્યું હતું. બાદમાં ઓફર લેટર આપવામાં આવ્યો હતો. બાદમાં, કંપનીઓએ આ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ઓફર લેટરને ફગાવી દીધા હતા. પરંતુ ટીસીએસે નિરાશ કર્યા ન હતા. કંપનીએ 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 35,000 ફ્રેશર્સને હાયર કર્યા છે, જેમાંથી બીજા ક્વાર્ટર દરમિયાન 20,000 ફ્રેશર કંપનીમાં જોડાયા છે.


આ પણ વાંચોઃ


PIB Fact Check: હવે હેલ્મેટનું ટેન્શન નહીં, પકડાશે તો પણ નહીં ભરવો પડે દંડ? જો તમને પણ આવો મેસેજ મળ્યો હોય તો...