નવી દિલ્હીઃ કોરોના મહામારીની બીજી લહેર ખતરનાર રૂપ ધારણ કરી રહી છે. ત્યારે રેલવે બોર્ડના ચેરમેન સુનીત શર્માએ રેલવે સેવાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. રેલવે બોર્ડે સ્પષ્ટતા કરી છે કે બોર્ડની ટ્રેનને રોકવાની અથવા તેના પર પ્રતિબંધ લગાવાની કોઈ યોજના નથી.


રેલવે બોર્ડના ચેરમેન સુનીત શર્માએ કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં જે મજૂરો પલાનની વાત કહેવામાં આવી રહી છે તે પલાયન નથી પરંતુ આ રેલવેના સામાન્ય યાત્રી છે. નાઈટ કર્ફ્યુથી બચવા માટે ઝડપથી સ્ટેશન પહોંચી જાય છે જેથી ભીડ દેખાઈ રહી છે.’ ચેરમેન સુનીત શર્માએ એ પણ કહ્યું કે, ઓડિશા અને ઉત્તરાખંડથી રેલવે પ્રવાસીઓના RTPCR ટેસ્ટ ફરજિયાત કરવાની વિનંતી કરી છે.


નોંધનીય છે કે, નવા કોરોના કેસોની સંખ્યા દરરોજ રેકોર્ડ તોડી રહી છે.  દરરોજ દુનિયામાં સૌથી વધુ કેસ ભારત (India) માં જ આવી રહ્યાં છે. દેશમાં ચોથી વખત એક લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 131968 નવા કેસ નોંધાયા છે અને  વધુ 780 લોકોના મોત થયા છે. આ પહેલા 4,6 અને 7 એપ્રિલે એક લાખથી વધુ કેસ સામે આવ્યા હતા.  છેલ્લા 24 કલાકમાં 61,899 લોકોએ મ્હાત આપી હતી. 


દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.29 ટકા છે જ્યારે રિકવરી રેટ 92 ટકા છે. એક્ટિવ કેસનો દર લગભગ 7 ટકા જેટલો વધ્યો છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ



  • કુલ કોરોના કેસ - 1 કરોડ 30 લાખ 60 હજાર 542

  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 19 લાખ 13 હજાર 292

  • કુલ એક્ટિવ કેસ-  નવ લાખ 79 હજાર 608

  • મૃત્યુઆંક-  એક લાખ 67 હજાર 642

  • કુલ રસીકરણ -  9 કરોડ 43 લાખ 34 હજાર 262 ડોઝ આપવામાં આવ્યા


આ રાજ્યમાં સ્થિતિ ખરાબ


દેશમાં મહારાષ્ટ્ર (Maharastra) સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય છે. ગઈકાલે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા 56,286 કેસ નોંધાયા હતા, રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા  32,29,547 પર પહોંચી ગઈ છે. તે સિવાય રાજ્યમાં વધુ 376 લોકોના મોતના કારણે રાજ્યમાં મૃત્યુની સંખ્યા વધીને 57,028 થઈ ગઈ છે. આ ઉપરાંત કર્ણાટકમાં 6,570, તામિલનાડુમાં 4,276, ગુજરાતમાં 4,021, પંજાબમાં 3,119 અને હરિયાણામાં 2,872 નવા કેસ નોંધાયા હતા. બુધવારે મહારાષ્ટ્રમાં 59,907 કેસ હતા અને 322 લોકોનાં મોત થયાં.