મુંબઈઃ આવતી 18 એપ્રિલના રવિવારે એક દિવસ માટે તમામ બેન્કોની RTGS (રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ) સેવા મધરાતે 12થી બીજા દિવસે બપોરે 2 વાગ્યા સુધી ઉપલબ્ધ નહીં હોય, એમ ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું છે. કેટલીક અપગ્રેડેશન કામગીરી હાથ ધરવાની હોવાથી સેવા ખંડિત થશે. રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે 17 એપ્રિલે બેન્કોમાં બિઝનેસ કલાકો પૂરા થાય એ પછી RTGSનું એક ટેકનિકલ અપગ્રેડેશન કરાવાનું છે અને RTGS સિસ્ટમના ડિઝાસ્ટર રિકવરી ટાઈમમાં વધારે સુધારો હાથ ધરાવાનો છે. તેથી રવિવાર, 18 એપ્રિલે મધરાતે 12 વાગ્યાથી લઈને બીજા દિવસે બપોરે 2 વાગ્યા સુધી RTGS સેવા બંધ રહેશે.


રિઝર્વ બેંકે સોમવારે જણાવ્યું હતું કે 17 એપ્રિલ 2021 ના રોજ વેપારનો અંત આવ્યા પછી, આરટીજીએસની તકનીકી સુધારણા કરવામાં આવશે, જેથી આરટીજીએસ સિસ્ટમની ક્ષમતા સુધારવામાં આવશે અને ‘ડિઝાસ્ટર રીકવરી’ (ડિઝાસ્ટર રિકવરી) સમયને વધુ સારી બનાવવામાં આવશે. નિવેદન અનુસાર, ‘તેથી આરટીજીએસ સેવા 18 એપ્રિલ, 2021 ના ​રોજ 00:00 (શનિવારની રાત) થી 14.00 (રવિવાર) સુધી ઉપલબ્ધ રહેશે નહીં.’


આરબીઆઈએ આ મામલે બેંકોને કહ્યું છે કે, તે ગ્રાહકોને આ વિશે જાણકારી આપે અને તે અનુસાર પોતાની પેમેન્ટનું આયોજન કરે. નોંધનીય છે કે, ગયા વર્ષે 14 ડિસેમ્બરથી RTGS સુવિધા 24 કલાક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભારત સાથે માત્ર ગણ્યા ગાઠ્યા દેશો સામલે છે જ્યાં આ સુવિધા 24 કલાક માટે કામ કરે છે.


જોકે RTGS સુવિધા બંધ રહેશે પણ આ દરમિયાન NEFT (નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર) સુવિધા રાબેતા મુજબ ચાલુ રહેશે. NEFT એવી ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે જેમાં સોદાઓને અમુક ચોક્કસ સમય સુધી સ્વીકારવામાં આવે છે અને બેચ અનુસાર પ્રોસેસ કરવામાં આવે છે. આનાથી વિપરીત, RTGS સેવામાં, સોદાઓને આખા દિવસ દરમિયાન પ્રત્યેક સોદાને આધારે પ્રોસેસ કરવામાં આવે છે.


કોરોનાની બીજી લહેરની વચ્ચે સોનાની આયાતમાં જંગી વધારો, જાણો માર્ચ મહિનામાં કેટલું સોનું ભારતમાં આવ્યું