ATM Transaction Fail Reason: નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ માહિતી આપી છે કે છેલ્લા ત્રણ મહિના દરમિયાન પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ POSAના રોકાણકારોના ATM ટ્રાન્જેક્શન વારંવાર ફેલ થઈ રહ્યા છે. તેની પાછળ ઘણા નોન ટેકનિકલ કારણો છે અને તેના કારણે ATM ટ્રાન્જેક્શન ફેલ થવાની સંખ્યા વધી રહી છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે, તો અહીં જાણો એવા 5 કારણો જેના કારણે તમારું ATM સંબંધિત કામ નથી થઈ રહ્યું.

Continues below advertisement

NPCI એ 3 ડિસેમ્બર, 2024 ના રોજ આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે અને તેના આધારે અહીં તે જાણકારી આપવામાં આવી છે જેના કારણે તમારા ATM ટ્રાન્જેક્શન ફેલ થઈ રહ્યા છે.

એટીએમ કાર્ડની ફ્રન્ટ સાઇડ પર એટીએમની વેલિડિટી પ્રિન્ટ કરવામાં આવે છે. એ મહિના અને વર્ષની તારીખ એટીએમ પર છપાયેલી હોય છે એ મહિના અને વર્ષની અંતિમ કામકાજના દિવસે એટલે કે વર્કિગ ડે પર તે એટીએમ કાર્ડ એક્સપાયર થઇ જાય છે. તેથી તમારે તે તારીખ પછી કોઈ ટ્રાન્જેક્શન કરી શકશો નહીં. તમારે તમારા સ્થાનિક પોસ્ટ ઓફિસમાંથી આવા ATM કાર્ડને બદલવા માટે અરજી કરવી જોઈએ.

Continues below advertisement

એટીએમ કાર્ડની એટીએમ પિન અને કી કાળજીપૂર્વક યાદ રાખો જેથી એટીએમ ટ્રાન્જેક્શન ડેક્લાઇન ના થાય. જો કોઈ એકાઉન્ટનું બેલેન્સ 700 રૂપિયા છે અને તમે 500 રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કરો છો, તો તે ટ્રાન્જેક્શન ડેક્લાઇન થઇ જશે. આવી સ્થિતિમાં એટીએમમાંથી રોકડ ઉપાડતા પહેલા તમારુ બેલેન્સ ચેક કરો નહી તો તમારું એટીએમ ટ્રાન્જેક્શન ઘટી જશે.

જો તમને તમારા એકાઉન્ટ બેલેન્સ વિશે ખાતરી નથી તો હંમેશા એટીએમમાંથી પૈસા ઉપાડતા પહેલા તેને તપાસો. કોઈપણ રકમ ઉપાડવાની કોશિશ ન કરો જેથી તમને ટ્રાન્જેક્શન ડેક્લાઇન થવાનો ડર ના રહે. તમે ATMમાંથી એક દિવસમાં વધુમાં વધુ 2500 રૂપિયા ઉપાડી શકો છો અને આ મહત્તમ મર્યાદાથી વધુ ઉપાડવાનો પ્રયાસ કરશો નહીં.                                                              

ELI Scheme: EPFOએ UAN એક્ટિવેશન અને બેન્ક એકાઉન્ટને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન વધારી