RBI On Bajaj Finance: દેશની સૌથી મોટી એનબીએફસી બજાજ ફાઇનાન્સને મોટો ઝટકો લાગ્યો છે. બેન્કિંગ સેક્ટર રેગ્યુલેટર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બજાજ ફાઈનાન્સ લિમિટેડને બે લેન્ડિંગ પ્રોડક્ટ્સ ઇકોમ અને ઇન્સ્ટા ઇએમઆઇ કાર્ડ હેઠળ લોન મંજૂર કરવા અને વિતરણ કરવાનું તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. આરબીઆઇનો આ આદેશ તરત જ લાગુ થઇ ગયો હતો.


ડિજિટલ લેન્ડિંગ ગાઇડલાઇન્સના ઉલ્લંઘનનો કેસ


આ આદેશ જાહેર કરતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કહ્યું હતું કે, કંપની તરફથી RBIની ડિજિટલ લેન્ડિંગ ગાઈડલાઈનનું પાલન ન કરતી હોવાને કારણે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આરબીઆઈએ તેના નિવેદનમાં કહ્યું હતું કે  આ કાર્યવાહી એટલા માટે જરૂરી બની ગઈ કારણ કે કંપની ભારતીય રિઝર્વ બેન્કની ડિજિટલ લોન માર્ગદર્શિકાની વર્તમાન જોગવાઈઓનું પાલન કરી રહી નથી. ખાસ કરીને આ બે લોન પ્રોડક્ટ્સ હેઠળ લોન લેનારાઓને મુખ્ય ફેક્ટ સ્ટેટમેન્ટ ન આપવાને કારણે અને અન્ય ડિજિટલ લોન મંજૂર કરતી વખતે મુખ્ય ફેક્ટ સ્ટેટમેન્ટ્સમાં ખામીઓને કારણે આ કાર્યવાહી જરૂરી હતી. આવશ્યકતા હતી.


આરબીઆઈ એક્ટ હેઠળ કાર્યવાહી


રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ 1934 હેઠળ આપવામાં આવેલી સત્તાઓ હેઠળ આરબીઆઈએ બજાજ ફાઈનાન્સને આ માર્ગદર્શિકા જાહેર કરી છે. આરબીઆઈએ કહ્યું કે આ ખામીઓને સુધાર્યા પછી, સુપરવાઇઝરી પ્રતિબંધોની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ આરબીઆઈ નિર્ણયની સમીક્ષા કરશે.


દેશની સૌથી મોટી બેંક SBI એ તેના 50 કરોડ ખાતાધારકો માટે એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. બેંકે કહ્યું કે ઘણા ગ્રાહકોને એકાઉન્ટ બંધ કરવા અંગેના નકલી મેસેજ મળી રહ્યા છે. SBI દ્વારા આવો કોઈ સંદેશ મોકલવામાં આવ્યો નથી. બધા ગ્રાહકોએ આ નકલી સંદેશાઓથી સાવચેત રહેવું જોઈએ અને તેનો જવાબ આપવો જોઈએ નહીં. છેતરપિંડી કરનારાઓ દ્વારા આવા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. જો તમે જવાબ આપો તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.


એકાઉન્ટ બંધ કરવાના મેસેજ આવી રહ્યા છે


આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે પ્રિય SBI એકાઉન્ટ હોલ્ડર, આજે તમારું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે. કૃપા કરીને તમારો PAN કાર્ડ નંબર અપડેટ કરવા માટે મોકલેલ લિંક પર ક્લિક કરો. બેંકે ગ્રાહકોને ચેતવણી આપી છે કે તેઓ બેંકિંગ વિગતો શેર કરવા માટે મોકલવામાં આવેલ કોઈપણ ઈમેલ અથવા મેસેજનો જવાબ ન આપે. જો તમને આવો મેસેજ મળે તો તરત જ 'report.phishing@sbi.co.in' પર જાણ કરો. એસબીઆઈની ગાઈડલાઈન મુજબ કોઈને પણ એકાઉન્ટ નંબર, પાસવર્ડ, પિન કે સીવીવી નંબર ન આપો. માહિતી અપડેટ કરતી વખતે, એકાઉન્ટ એક્ટિવેટ કરતી વખતે, કૉલ કરતી વખતે અથવા વેબસાઇટ પર આવી માહિતી માગતી વ્યક્તિ સામે તાત્કાલિક ફરિયાદ કરો. બેંકે કહ્યું કે તમે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર પણ કોલ કરી શકો છો. તમે તેમની વેબસાઇટ https://cybercrime.gov.in/ પર પણ ફરિયાદ કરી શકો છો.