Pensioners Life Certificate: પેન્શન મેળવતા વરિષ્ઠ નાગરિકોને આવનારા દિવસોમાં મોટી રાહત મળી શકે છે. પેન્શનરો તેમના લાઈફ સર્ટિકિકેટ પેન્શન એકાઉન્ટને જાળવી રાખતી બેંકની કોઈપણ શાખામાં લાઈફ સર્ટિકિકેટ સબમિટ કરી શકશે. તેમના માટે તેમનું લાઈફ સર્ટિકિકેટ ફક્ત તે જ શાખામાં સબમિટ કરવાની જોગવાઈ ખતતમ જઈ જશે જ્યાં તેમનું પેન્શન ખાતું છે.


લાઈફ સર્ટિકિકેટ કોઈપણ શાખામાં જમા કરાવી શકાશે


ગ્રાહક સેવાના ધોરણમાં સુધારો કરવા માટે પૂર્વ ડેપ્યુટી ગવર્નર બીપી કાંગુની આગેવાની હેઠળની આરબીઆઈ કમિટીએ રિઝર્વ બેંકને પોતાની ભલામણો સુપરત કરી છે. જેમાં વરિષ્ઠ નાગરિકોની સુવિધાઓનું ધ્યાન રાખીને ઘણી મહત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી છે. સમિતિએ પોતાની ભલામણમાં કહ્યું છે કે, પેન્શનધારકો માટે એવી સુવિધા હોવી જોઈએ કે તેઓ પોતાનું લાઈફ સર્ટિકિકેટ બેંકની કોઈપણ શાખામાં જમા કરાવી શકે જેમાં તેમનું પેન્શન ખાતું હોય. ઉપરાંત, ચોક્કસ મહિનામાં ભીડ ન થાય તે માટે તેમને તેમની ઇચ્છા મુજબ કોઈપણ મહિનામાં વલાઈફ સર્ટિકિકેટ સબમિટ કરવાની મંજૂરી આપવી જોઈએ. અને દર વર્ષે તે જ મહિનામાં તેમને લાઈફ સર્ટિકિકેટ સબમિટ કરવાની મંજૂરી આપવી જોઈએ.


અગાઉથી ચૂકવણી કરીને ડોર-સ્ટેપ સેવાઓ


સમિતિએ ભલામણ કરી છે કે, આરબીઆઈ નિયંત્રિત નાણાકીય સંસ્થાઓએ વરિષ્ઠ નાગરિકોના સંબંધીઓને તેમના વડીલો માટે અપફ્રન્ટ પેમેન્ટ કરીને ડોર-સ્ટેપ સેવાઓ જેવી સુવિધાઓ મેળવવા માટે આવો વિકલ્પ આપવો જોઈએ.


KYC પ્રક્રિયા સરળ રહેશે


KYC (Know Your Customer) પ્રક્રિયાને સરળ બનાવવા માટે સમિતિએ ભલામણ કરી હતી કે, RBI નિયમન કરતી નાણાકીય સંસ્થાઓ નિયમિત અંતરાલ પર KYC અપડેટ કરવા માટે પગલાં લે, પરંતુ ખાતામાં કામગીરી સસ્પેન્ડ ન થાય તેની ખાતરી કરો. સમિતિએ ભલામણ કરી હતી કે, બેંકો અને નાણાકીય સંસ્થાઓએ ગ્રાહક માહિતી ફાઇલની જેમ જ અનન્ય ગ્રાહક ઓળખકર્તા સાથે જોડાયેલા તમામ ગ્રાહકોના KYCનો કેન્દ્રિય ડેટાબેઝ બનાવવો જોઈએ. જેથી ગ્રાહકને વારંવાર KYC ન કરવું પડે. અને જ્યારે પણ ગ્રાહક KYC અપડેટ કરે છે ત્યારે ગ્રાહકે લીધેલી સેવાઓ આ બધી જગ્યાઓ પર દેખાવા લાગે છે.


RBI : કેટલીક બેંકોમાં સર્જાઈ શકે છે અસ્થિરતા? RBIએ વ્યક્ત કરી ચિંતા


 ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે મુંબઈમાં દેશની બેંકો વિશે એક મોટી વાત કહી છે. તેમણે બેંકોને સંદેશ આપ્યો છે કે, તેઓ ગ્રાહકોના પૈસાની સુરક્ષાને સૌથી ઉપર રાખે. આ ઉપરાંત, આરબીઆઈ ગવર્નરે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે, કેટલીક બેંકોમાં કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દા પર કેટલીક ચિંતાઓ ઉભરી રહી છે, જેના પરિણામે બેંકોમાં અસ્થિરતા આવી શકે છે.


બેંકિંગ સેક્ટર માટે અસ્થિરતાનું જોખમ – RBI ગવર્નર


આરબીઆઈ ગવર્નરના જણાવ્યા મુજબ, દેશની બેંકોના બોર્ડ અને મેનેજમેન્ટે ધ્યાનમાં રાખવું પડશે કે, તેઓએ એવા કારણો પર ધ્યાન આપવું જોઈએ, જે ભવિષ્યમાં સમગ્ર દેશના બેંકિંગ ક્ષેત્ર માટે અસ્થિરતાનું કારણ બની શકે છે. તેમણે કહ્યું હતું કે, દેશની કેન્દ્રીય બેંક જનતાના પૈસા પર કોઈપણ પ્રકારની અસુરક્ષાની સ્થિતિને મંજૂરી આપી શકે નહીં.