નવી દિલ્હીઃ આજકાલ એટીએમ ફ્રોડના મામલા ઝડપથી વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને એસબીઆઈને ઓટીપી બેસ્ડ એટીએમ કેશ વિડ્રોલ સુવિધા 24 x 7 લાગુ કરવાનો ફેંસલો કર્યો છે. આ સુવિધા દેશભરમાં તમામ એસબીઆઈ એટીએમ પર લાગુ થઈ ગઈ છે. જેને લાગુ કરવા પાછળ બેંકનું માનવું છે કે, આ રીતે બેંક ગ્રાહક કોઈપણ ફ્રોડથી બચી શકશે. આ સુવિધા શરૂ થયા બાદ એસબીઆઈના એટીએમમાંથી 10 હજાર રૂપિયા કે તેનાથી વધુ રકમ ઉપાડવા પર દિવસે પણ ઓટીપીની જરૂર પડશે. પહેલા રાતે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી 10 હજાર રૂપિયા કે તેથી વધુ રકમ ઉપાડવા પર ઓટીપીની જરૂર પડતી હતી. 1 જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. એસબીઆઈ એટીએમથી 10 હજાર રૂપિયાથી વધારે ઉપાડવા પર ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી મોકલશે. આ ઓટીપીને એટીએમમાં નાંખ્યા બાદ જ ગ્રાહક એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે. એસબીઆઈએ તેના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
એસબીઆઈની 24 કલાક ઓટીપી બેસ્ડ સર્વિસ 18 સપ્ટેમ્બરથી જ લાગુ થઈ ગયો છે. આ નિયમ માત્ર એસબીઆઈના ડેબિટ કાર્ડ હોલ્ડર્સ માટે જ છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ