Stock Market News: શેરબજારમાં રોકાણ કરતાં કે શેરબજાર પર ધ્યાન રાખતાં લોકો માટે મોટા સમાચાર છે. બજારના ટ્રેડિંગ સમયને લઈને નવું અપડેટ આવ્યું છે. ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય બજારના કામકાજના કલાકોમાં ફેરફાર કર્યો છે. RBI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બજારનું નવું ટાઈમ ટેબલ સોમવાર, 18 એપ્રિલથી લાગુ થશે. અત્યાર સુધી કામકાજનો સમય સવારે 10.00 વાગ્યાથી હતો. પરંતુ હવે 18 એપ્રિલે એટલે કે આવતીકાલથી 9 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 3.30 વાગ્યા સુધી ચાલશે. આરબીઆઈએ માર્કેટનો ટ્રેડિંગ સમય 30 મિનિટ લંબાવ્યો છે.


RBIએ માહિતી આપી


RBIએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું, 'કોવિડ પ્રતિબંધો ખતમ થવાથી અને લોકોની અવરજવર પરના નિયંત્રણો હટાવવાને કારણે  તથા ઓફિસોમાં કામકાજ સામાન્ય થવાને કારણે 9થી નાણાકીય બજારોમાં ટ્રેડિંગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નિયંત્રિત નાણાકીય બજારો માટે તેમનો સમય રાબેતા મુજબ સવારે 9:00 વાગ્યાનો  કરવામાં આવે છે.






બજારોમાં વેપારના કલાકો


આરબીઆઈએ રિલીઝમાં એમ પણ કહ્યું છે કે વિદેશી વિનિમય બજાર અને સરકારી સિક્યોરિટીઝમાં વ્યવહાર હવે બદલાયેલા સમય સાથે શક્ય બનશે. 18 એપ્રિલ 2022 થી, આરબીઆઈના નિયમનવાળા બજારોમાં ટ્રેડિંગ જેમ કે ફોરેક્સ ડેરિવેટિવ્ઝ, રૂપી ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્ઝ, કોર્પોરેટ બોન્ડ્સમાં રેપો વગેરે ફોરેન એક્સચેન્જ (FCY)/ભારતીય રુપિયા (INR) માટે તેના કોવિડ પહેલાના સમય 9 વાગ્યાથી શરૂ થશે.


જૂની સિસ્ટમ ફરીથી લાગુ


વર્ષ 2020 માં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ 7 એપ્રિલે બજારના ટ્રેડિંગ કલાકોમાં ફેરફાર કર્યો હતો. બજારનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 3.30 વાગ્યા સુધી બદલાયો હતો, જેનાથી ટ્રેડિંગનો સમય અડધો કલાક ઘટ્યો હતો. પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે ત્યારે આરબીઆઈ જૂના સમયપત્રકને ફરીથી લાગુ કરી રહી છે.