Biparjoy cyclone Live Update: ગુજરાતના દરિયાકાંઠે વધ્યું વાવાઝોડાનું સંકટ, પોરબંદર પર લગાવાયું ચાર નંબરનું ભયસૂચક સિગ્નલ

બિપરજોય વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડું દિશા બદલી ગુજરાત તરફ ફંટાયું છે. 15 જૂને વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવીશક્યતા છે.

gujarati.abplive.com Last Updated: 11 Jun 2023 05:06 PM

બ્રેકગ્રાઉન્ડ

Biperjoy cyclone Live update: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડું દિશા બદલી ગુજરાત તરફ ફંટાયું છે. 15 જૂને વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી...More

ઉપલેટામાં વાવાઝોડાની અસરથી ભારે પવન ફૂંકાયો

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વાવાઝોડાની અસરને લઈને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. પવનના કારણે બે વૃક્ષ ધરાશાયી થયા છે. શહેરના વિક્રમ ચોક પાસે આવેલા ખોડીયાર મંદિર સામે વીજળીના તાર પર એક વૃક્ષ ધરાશાયી થયું. વીજળીના બે તાર ભેગા થતાં વિક્રમચોક વિસ્તારના રહીશોના મોટા પ્રમાણમાં ટીવી, પંખા, ફ્રીઝ, એસી બળી ગયા.