દેશની રાજધાની દિલ્લીમાં આ વર્ષ હજું સુધીમાં 1530 ડેન્ગ્યૂના  કેસ નોંધાયા છે. તેમાંથી 1200 કેસ માત્ર ઓક્ટોબરમાં જ સામે આવ્યાં હતા. જે છેલ્લા 4 વર્ષમાં સૌથી વધુ છે.


દેશમાં ડેંન્ગ્યૂના વધતા જતાં પ્રકોપના કારણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નવ રાજ્યોમાં અને કેન્દ્રી શાસિત પ્રદેશોમાં ટેકનિકલ મદદ માટે ટીમ મોકલી છે. આ ટીમ રાજ્યોમાં સ્વાસ્થ્ય અધિકારીઓને સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયો માટે માર્ગદર્શિત કરશે, કેન્દ્રએ આ નિર્ણય હરિયાણા, પંજાબ, કેરળ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઉતરાખંડ અને દિલ્લી તેમ જમ્મુ કાશ્મીરમાં વધતા જતાં ડેન્ગ્યૂનાકેસને લઇને કર્યો છે


31 ઓક્ટોબર સુધી દેશમાં જેટલા પણ ડેન્ગ્યૂના કેસ સામે આવ્યાં, તેમાં આ રાજ્યોનું યોગદાન 86 ટકા છે. નિષ્ણાત ટીમમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર તેમજ મચ્છર જનિત રોગ નિયંત્રણ કાર્યક્રમના અધિકારી સામેલછે,


મહારાષ્ટ્રમાં પણ ડેન્ગ્યૂનો કેર યથાવત છે. ઓક્ટોબરમાં અહીં 168 કેસ નોંધાયા હતા. ચંદીગઢમાં તો 33 લોકોના ડેન્ગ્યૂથી મોત થઇ ગયા છે. ઉતર પ્રદેશના ગાજિયાબાદમાં ડેન્ગ્યૂના 1000 નવા કેસ નોંધાયા છે. તો મધ્ય પ્રદેશમાં ડેન્ગ્યૂના કેસનો આંકડો 10 હજારની પાર પહોંચ્યો છે. 2015 બાદ મધ્યપ્રદેશના આ સૌથી વધુ કેસ છે. બીમાર દર્દીમાં 45 ટકા ગંભીર રીતે બીમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી છે.


ઉલ્લેખનિય છે કે, ડેન્ગ્યૂના વાયરસ સંક્રમિત એડીઝ પ્રજાતિના મચ્છરોના કરડવાથી થાય છે. તેની ઝપેટમાં આવ્યાં બાદ વ્યકિતને સખત તાવ, માથામાં દુખાવો, વોમિટના લક્ષણો જોવા મળે છે.


 દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરી વધ્યા છે. બુધવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 11,903 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 311 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 252 દિવસના નીચલા સ્તર 1,51,209 પર પહોંચી છે. 


દેશમાં અત્યાર સુધીમાં 107 કરોડ 29 લાખ 66 હજારથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 41,16,203 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.