અમદાવાદઃ કોરોનાવાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. ભારતમાં પણ કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓની સંખ્યા વધી રહી છે અને સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.


અત્યારે દુનિયાભરમાં કોરોના વાયરસની ચર્ચા ચાલી છે અને કોરોનાવાયરસે ભારતમાં પણ પગપેસારો કરી દીધો છે ત્યારે કોરોનાવાયરસના ચેપથી બચવા માટે શું કરવું સૌથી મહત્વનું છે. કોરોનાવાયરસ ભેદી છે અને તેનો કોઈ ઈલાજ હજુ શોધાયો નથી એ સંજોગોમાં સાવચેતી જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.

લોકોએ કોરોનાવાયરસથી બચવા માટે સૌથી પહેલાં તેનાં લક્ષણો જાણવા જરૂરી છે. આ લક્ષણો ના દેખાય એ માટે શું કરવું એ જાણવું પણ જરૂરી છે.

કોરોના વાયરસથી બચવા માટે શું કરવું જોઈએ તેની પર એક નજર કરીએ....
કોરોનાવાયરસનાં લક્ષણો

- તાવ આવવો
- છીંક આવવી
- શરીર દુખવું
- ખાંસી અને ગળામાં ખારાશ
- માથું દુખવું
- શ્વાસ લેવામાં તકલીફ

કોરોનાવાયરસથી બચવા શું કરશો?

- હાથ વારંવાર સાબૂ અને પાણીથી ધોવા.
- છીંક અને ખાંસી આવતાં સમયે તમારું નાક અને મ્હોં રૂમાલથી અથવા ટીસ્યૂથી ઢાંકવું.
- સંપૂર્ણપણે રાંધેલા માંસ અને ઈંડા ખાવા અને પાણી ખૂબ પ્રમાણમાં પીવું.
- શરદી અથવા ફ્લુ જેવા લક્ષણોવાળા વ્યક્તિનો સંપર્ક ટાળવો અથવા 1 મીટર અંતર રાખવું.