નંદુરબારઃ મહારાષ્ટ્રમાં દિવાળીના દિવસે જ ગોઝારી ઘટના બની છે. બસ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકોને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તારલી નદીના પુલ પરથી મીની બસ 50 ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા આ દુર્ઘટના બની છે.


આ અંગેની વિગતો એવી છે કે, આજે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ કરાડના ઉંબ્રઝમાં આવેલી તારલી નદીના પુલ પરથી મીની બસ 50 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. મીની બસ મુંબઈના વાસીથી ગોવા માટે નીકળી હતી. આ દુર્ઘટનામાં 3 પુરુષો, 3 વર્ષીય બાળક સહિત 5નાં મોત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.