ગાંધીનગર:  રાહુલ ગાંધીના સમર્થનમાં કૉંગ્રેસના ધારાસભ્યોએ કાળા કપડા પહેરીને આજે વિધાનસભા ગૃહમાં હોબાળો કર્યો હતો. કૉંગ્રેસના તમામ ધારાસભ્યોને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કૉંગ્રેસના ધારાસભ્યો આજે કાળા કપડા પહેરીને વિધાનસભા ગૃહમાં વેલમાં બેસીને સૂત્રોચ્ચાર કરતા  સાર્જન્ટોએ ટીંગાટોળી કરીને ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કાઢ્યા હતા. 

Continues below advertisement

બાદમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કૉંગ્રેસના તમામ ધારાસભ્યોને પહેલા તો આજના દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. જો કે પ્રશ્નોત્તરી કાળ બાદ સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે સત્ર સમાપ્તિ સુધી કૉંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મુકી હતી.  જેને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાઘવજી પટેલે પણ ટેકો આપ્યો હતો.  જે બાદ અધ્યક્ષે ધ્વનિમતથી કૉંગ્રેસના તમામ ધારાસભ્યોને સત્ર સમાપ્તિ સુધી એટલે કે 29 માર્ચ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  15મી વિધાનસભાના બજેટ સત્રનો 29 માર્ચ અંતિમ દિવસ છે. ત્યારે હવે કૉંગ્રેસના તમામ ધારાસભ્યો 29 માર્ચ સુધી વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

Ahmedabad: હાર્દિક પટેલ પર ત્રણ ગંભીર કેસ, પણ ભાજપમાં ગયા એટલે પવિત્રઃ જગદીશ ઠાકોર

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષ પદ ન મળવા મુદ્દે કહ્યું, માત્ર ગુજરાતમાં જ નહીં ક્યાંય એવો કાયદો નથી કે 10 ટકા બેઠક ન હોય તો વિપક્ષપદ ન મળે. પહેલા 5-10 વર્ષની માહિતી મળતી હવે 2 વર્ષની માહિતી નથી આપવામાં આવતી. ભાજપની ભગિની સંસ્થાઓમાં RTI એક્ટ લાગુ પડતો નથી. ADC બેન્ક હોય કે અન્ય ખાનગી સંસ્થાઓ ત્યાં કેમ RTI લાગુ નથી થતી. નગરપાલિકા, મહાનગરપાલિકા વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓને બોલવા દેવામાં આવતા નથી. ગૌરી લંકેશની હત્યા કરી દેવામાં આવી,જીગ્નેશ મેવાણી ઉપર ત્રણ કેસ કેમ થયા, તેની હત્યા થવાની ભીતિ મેવાણી કરી ચુક્યા છે. હાર્દિક પટેલ કેમ ભાજપમાં ગયા ? ત્રણ ત્રણ ગંભીર કેસ થયા પણ ભાજપમાં ગયા એટલે પવિત્ર.

Continues below advertisement

ભરતસિંહ સોલંકીએ શું કહ્યું

ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું,  દેશ દુનિયામાં ચિંતાના વિષયની વાત છે, દેશમાં જે પ્રકારે સાશન ચાલે છે તે જોતા લોકશાહી પર ખતરો થઈ રહ્યો છે. બંધારણ રહેશે કે નહીં ? કન્યા કુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી એ યાત્રા કરી.  એક વ્યક્તિ પર અમદાવાદ, સુરત સહિતની જગ્યાએ ફરિયાદો કરવામાં આવી. રાહુલએ અદાણી-મોદીની મિલીભગતની વાત કરી. જો રાહુલ ખોટા હોય તો તમે સંસદમાં વાત કરો, દેશને ગુલામ બનાવનાર અંગ્રેજો સામે લડત શરૂ થઈ હતી. કર્ણાટકમાં રાહુલના ભાષણ સામે પુર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી. ન્યાયિક ઝડપી પ્રક્રિયા શા માટે કરાઈ, કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરાઈ છે, યુપીમાં હાર ભાળી જનારે ખેડૂતોના 3 કાળા કાયદા પાછા ખેંચ્યા. રાહુલે ચાઈનાની વાત કરી, ભારતની જમીન પચાવી લેવાની પેરવી કરનાર ચાઈનાની વાત કરી હતી, અદાણી ને સહાય કરવી વ્યાજબી છે ? રાહુલે  વિદેશમાં કેમ વાત કરી. આ સવાલ ઉભા કરાયા. સોનિયા ગાંધીએ 2 - 2 વાર પ્રધાનમંત્રી બનવાની તક ને પણ જતી કરી હતી. હું ખાતરી થી કહું છું કે આગામી ચૂંટણીમાં કર્ણાટકની જનતા ભાજપને જાકારો આપશે.