સામાન્ય રીતે હારેલા ઉમેદવારોને કોઈ યાદ કરતું નથી ત્યારે પાટીલે નવો ચીલો ચાતરીને હારેલા ઉમેદવારોની બેઠક બોલાવી છે. આ રીતે પાટીલના કારણે પહેલી વખત ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપનાં વિધાનસભા ચૂંટણી હારેલા ઉમેદવારો એક સાથે એકઠા થશે.
ભાજપ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે, 2 સપ્ટેમ્બ નાં રોજ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી હારેલા ભાજ્પનાં ઉમેદવારોની સી. આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળશે.
પાટીલ દ્વારા ભાજ્પનાં હારેલા ઉમેદવારોને વિધાનસભા ચૂંટણીમાં તેમની હાર માટેનાં કારણોનો વિસ્તૃત અહેવાલ સાથે લ ને આવવા માટે સૂચના અપાઈ છે. ભાજપનાં હાર માટેના કારણો અને હવે જીત માટે શુ કરી શકાય તે મુદે બેઠકમાં ચર્ચા થશે.