ગાંધીનગર: આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની કેબિનેટની બેઠક મળશે. સવારે સાડા દસ કલાકે મળનારી આ બેઠકમાં સુરતના લઠ્ઠાકાંડનો મુદ્દો અને વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા થાય તેવી શક્યતા છે. સાથે જ વહીવટી નીતિ વિષયક મુદ્દાઓ પર પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. સુત્રોનું માનીએ તો 17મી સપ્ટેમ્બર પીએમ મોદી પોતાના જન્મદિવસ નિમિત્તે ગુજરાત પ્રવાસે આવે તે અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતા છે.