ગાંધીનગરના દહેગામમાં ઢોરની હડફેટે મહિલાનું મોત થતાં ઢોર માલિકને જેલ હવાલે કરવામાં આવ્યો છે. તે સિવાય પાલિકાના અધિકારી સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, દહેગામમાં સોમવારે સાંજે ઢોરની અડફેટે એક મહિલાનું મોત થયું હતું. આ મામલે પોલીસે ઢોર માલિકને પકડીને કોર્ટમાં રજૂ કર્યો હતો. મહિલાના મોતના કેસમાં ઢોર માલિકને જેલના હવાલે કરવામાં આવ્યો હતો. કોર્ટે જામીન ફગાવી ઢોર માલિકને જેલ હવાલે કર્યો હતો.


 તે સિવાય દહેગામ નગર પાલિકાના જવાબદાર અધિકારી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ હતી.


Gandhinagar: ખેડૂતો માટે માઠા સમાચાર, શું ધરતીપુત્રોને નહીં મળે કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનનું વળતર ?


Gujarat Agriculture News: ખેડૂતો માટે  માઠા સમાચાર છે. રાજ્યમાં પાછલા દિવસોમાં થયેલા કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. રાજય સરકારના કૃષિ વિભાગ દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરીને રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે. સર્વે રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાકને નુકશાની ન પહોંચી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. રિપોર્ટ પ્રમાણે કમોસમી વરસાદના કારણે નુક્શાની ન હોવાના કારણે વળતર ચુકવણી નહીં થાય.

રાજ્યમાં થોડા દિવસ પહેલા 48 કલાક દરમિયાન 14 જિલ્લાના 50 તાલુકાઓમા કમોસમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં 1મી.મી.થી 28મી.મી. સુધીનો કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં રવી પાકને નુકસાની થઈ હોવાની શક્યતા પગલે રાજ્યના કૃષિ વિભાગે સર્વે કરવા આદેશ આપ્યો હતો


ભાજપ નેતા હાર્દિક પટેલ કેમ સામે વોરંટ ઈસ્યુ થઈ શકે છે ?




 



ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે નિકોલમાં ઉપવાસ મામલે હાર્દિક પટેલ ગીતા પટેલ સહિત અન્ય લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. હાર્દિક પટેલની ઘરેથી જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, તે સમયે હાર્દિક પટેલ સહિતના આગેવાનોએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું, જે મુદ્દે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં(મિરઝાપુર કોર્ટમાં) હાર્દિક પટેલને હાજર રહેવા માટે ગ્રામ્ય કોર્ટે સમન્સ ઇશ્યુ કરેલું છે. આ કેસની આજની સુનાવણી સમયે હાર્દિક પટેલ સહિત તમામ આરોપીઓ કોર્ટમાં હાજર રહેવાનું સમન્સ છે. જો હાર્દિક પટેલ આ કેસમાં હાજર નહીં રહે તો તેની સામે વોરંટ ઇસ્યુ થઈ શકે છે.


2022 વિધાનસભા ચૂંટણીમાં  વિરમગામ બેઠક પર 10 વર્ષ બાદ હાર્દિકે ખીલવ્યું કમળ


ગુજરાત વિધાનસભાના ચૂંટણી પરિણામ દરમિયાન સૌની નજર અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર હતી. આ બેઠક પરથી ભાજપે હાર્દિક પટેલને ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતાર્યો હતો. જેની સામે કોંગ્રેસના લાખાભાઇ ભરવાડ મેદાને હતા. હાર્દિક પટેલે વિરમગામ બેઠક પર જીત હાંસલ કરી છે. હાર્દિક પટેલની 51555 મતથી જીત થઇ છે. બીજા નંબરે 47072 મત આમ આદમી પાર્ટી લઈ ગયું હતું. કોંગ્રેસના લાખાભાઇ ભરવાડની કારમી હાર થઇ હતી. વિરમગામ ગામ બેઠક પર 3 બેઠક પર કોંગ્રેસનો દબદબો રહેલો છે. વર્ષ 2017માં 6,548 મતોથી કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ હતી. ગત ચૂંટણીમાં અહીં 68.16% ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2012ની ચૂંટણીમાં 16,983 મતોથી કોંગ્રેસે બાજી મારી હતી. જ્યારે 2022માં ભાજપના હાર્દિક પટેલે બાજી મારી હતી