ગાંધીનગરમાં કોરોનાને કારણે પહેલું મોત, ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 18
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Apr 2020 09:37 AM (IST)
ગાંધીનગરમાં કોરોનાને કારણે વૃદ્ધનું સારવાર દરમિયાન થયું મોત.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે ગાંધીનગરમાં કોરોનાથી પહેલું મોત થયું છે. આ સાથે ગુજરાતમાં મૃત્યુઆંક 18એ પહોંચ્યો છે. આ સાથે આજે ગાંધીનગરમાં એક કોરોનાનો પોઝિટિવ કેસ પણ નોંધાયો છે. ત્યારે ગાંધીનગરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 14એ પહોંચી છે. ગાંધીનગરના કોવિડ-19નો આવેલ પ્રથમ કેસ જે યુવક ઉમંગને આવ્યો હતો, તેના દાદાનું કોરાનાથી મોત થયું છે. ગાંધીનગર સિવિલ હિસ્પિટલમાં વહેલી સવારે સારવાર દરમિયાન મોત થયું છે. મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ સાંકળચંદ પટેલ છે. નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 287એ પહોંચી છે.