ગાંધીનગરઃ ગુજરાતના બોર્ડ નિગમના હાલના ચાલુ બોર્ડ નિગમના ચેરમેનોના રાજીનામા લઇ લેવામાં આવ્યા છે. હાલના તબક્કે ચાલુ 10થી વધુ બોર્ડ નિગમના ચેરમેનોના રાજીનામા મુખ્યમંત્રીને સોંપાયા હતા. ગુજરાત સરકાર હસ્તકના બોર્ડ- નિગમમાં નવી નિયુક્તિઓ કરવામાં આવશે. આગામી સમયમાં ખાલી બોર્ડ નિગમના ચેરમેનોની એક સાથે નિયુક્તિઓ થાય તે માટે રાજીનામાં લેવાઈ રહ્યા છે.પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ખાસ ગણાતા ધનસુખ ભંડેરી સહિત 12 હોદ્દેદારોનાં રાજીનામાં લઈ લેવામાં આવ્યાં છે.


જે નિગમોના ચેરમેનના રાજીનામા લઇ લેવામાં આવ્યા છે તેમાં બિન અનામત આયોગના વિમલ ઉપાધ્યાય, બિન અનામત આયોદના બી.એચ ઘોડાસરા, ગુજરાત વકફ બોર્ડના સજાદ હીરા, સંગીત કલા બોર્ડના પંકજ ભટ્ટ, મહિલા આયોગના લીલાબેન આંકોલીયા, મ્યુનિસિપલ ફાયનાનંસ બોર્ડના ધનસુખ ભંડેરીનો સમાવેશ થાય છે.