ગાંધીનગરઃ પહેલી માર્ચથી ગુજરાતમાં વિધાનસભા સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે આજની બીજી બેઠકમાં ઉર્જા મંત્રીને કૃષિવિષયક વીજજોડાણ અને કૃષિવિષયક તત્કાલ વીજજોડાણ અંગે પૂછેલા પ્રશ્નોની સંકલિત માહિતી સામે આવી છે. રાજ્ય સરકાર દાવો કરે છે કે ખેડૂતોને તાત્કાલિક વીજ જોડાણ આપવામાં આવે છે. કોઈ વીજ જોડાણ પડતર નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજ્યમાં કૃષિ વિષયક વીજ જોડાણ મેળવવા માટે ખેડૂતોની ૮૨,૬૯૮ અરજીઓ પડતર છે.


આ પૈકી ૧૦,૨૯૩ જેટલી અરજીઓ એક વર્ષ કરતાં વધુ સમયથી પડતર છે. સૌથી વધુ બનાસકાંઠા જીલ્લામાં ૧૧,૦૭૯ અરજીઓ પડતર છે.