Gujarat Cabinet : ગુજરાત સરકારની આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં રખડતા ઢોરના કારણે થતી ઘટનાઓ અટકાવવા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યમાં ફરતા આખલાનું રસીકરણ કરવામાં આવશે, હાલ રાજ્યમાં 50 હજાર આખલાઓ ફરે છે.  આખલાઓને રસીકરણ માટે ગૌ સંવધર્ન કેન્દ્રમાં મુકાશે. 8 મહાપાલિકામાં 17 જેટલા કેટલ પોન્ડ બનાવશે.


જમીન રિ સર્વે મુદ્દે પણ લેવાયો નિર્ણય


વિજય રૂપાણીની સરકારે ગુજરાતમાં કરાવેલો જમીનનો સર્વે ભtપેન્દ્ર પટેલ સરકારે રદ્દ કર્યો છે. સમગ્ર રાજ્યમાં હવે ફરીથી જમીનનો રિ સર્વે હાથ ધરવામાં આવશે. જેના પાઇલોટ પ્રોજેક્ટ તરીકે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાને પસંદ કરવામાં આવ્યા છે આજે મળેલી સરકારની કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી. ભૂતકાળમાં થયેલી જમીન માપણીમાં જે એજન્સીએ કામ સોંપ્યું હતું તેણે મોટા લોચા મારીને અનેક એવી ભૂલો કરી હતી કે જેના કારણે ખેડૂતોની જમીન કોચમાં પડી ગઈ હતી. આ કામગીરી માટે રૂપાણી સરકારે તે એજન્સીએ અંદાજિત રૂ. 700 કરોડનું ચૂકવણું પણ કરી દીધું છે. હવે સરકાર ફરીથી જમીનનો રિ સર્વે કરવા તૈયાર થઈ છે. આગામી બજેટમાં આ અંગેની તમામ જોગવાઈ જાહેર કરવામાં આવશે....


રૂપાણી સરકારમાં થયેલા જમીનના સર્વેમાં સરકારને ખેડૂતો તરફથી અનેક ફરિયાદો સર્વેની મળી હતી... જુનો જમીન સર્વે કરવા માટે સરકારે એક એજન્સી હાયર કરી હતી. જેને જમીન સર્વે કરવા માટે અંદાજે 700 કરોડ રૂપિયાની માતબર રકમ ચૂકવી હોવાનો અંદાજ છે. જુના સર્વેમા અનેક ફરિયાદો મળી હતી. જેમાં જમીનો ના નકશાઓ બદલાય ગયા હતા.. જે બાદ સરકારે નવેસર થી જ જમીન રી સર્વે કરવાનો નિર્ણય લીધો છે.. અહીં સવાલ એ કે જૂની એજન્સીને જે રકમ ચૂકવીને જમીનનો સર્વે કરવામાં આવ્યો તે જનતાના નાણાનું શુ???.. નવેસરથી સરકાર એજન્સી હાયર કરી ને ફરી નાણાનો વ્યય કરશે.  જૂની એજન્સી પાસેથી નાણાં વસુલવા ને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. નવા જમીન સર્વેમાં જૂની અને નવી પદ્ધતિનો ઉપયોગ થશે... પરંપરાગત સાંકળ પદ્ધતિથી અને સાથે ડિજિટલ મશીનથી સર્વે કરાશે. જમીનના સર્વે દરમિયાન ખેડૂતને પણ સાથે રાખવા ફરજિયાત રહેશે.


નવા શૈક્ષણિક વર્ષથી વાલીઓને લાગશે ફટકો


નવા શૈક્ષણિક વર્ષથી વાલીઓને મોટો ફટકો લાગી શકે છે. શાળા સંચાલક મહામંડળ દ્વારા એફઆરસી એ નક્કી કરેલ બેઝિક ફી સ્ટ્રક્ચરમાં વધારાની માંગ કરવામાં આવી છે. શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખી ફી વધારાની કરી માંગ કરી છે. 2017માં એફઆરસીએ બેઝિક ફી સ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું. 6 વર્ષ બાદ પણ એજ બેઝિક ફી સ્ટ્રક્ચર રહેતા સંચાલકોએ વધારીની માંગ કરી છે. શાળા સંચાલક મહામંડળે બેઝિક ફી સ્ટ્રક્ચર માં 5-5 હજારનો વધારો કરી આપવા માંગ કરી છે. 15, 25 અને 30 હજાર રૂપિયા બેઝિક ફી નક્કી કરાઈ હતી, ત્રણેય સ્લેબમાં 5 હજારના વધારાની માંગ કરવામાં આવી છે. નિયમ મુજબ બેઝિક ફી થી વધારે ફી લેવા માંગતા સંચાલકોએ એફઆરસીમાં જવું પડે છે, મોંઘવારીને ધ્યાને રાખી વધારો આપવા સંચાલકોની માંગ છે. ફી વધારો 2023-24 ના શૈક્ષણિક સત્રથી અમલી બને એવી રીતે નિર્ણય લેવા રજુઆત કરવામાં આવી છે.