ગાંધીનગરઃ ભાજપ વરસોથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની વાતો કરે છે. ભાજપ પોતાની પ્રેસ નોટમાં પણ અમદાવાદનો ઉલ્લેખ કર્ણાવતી તરીકે કરે છે તપણ ચોંકાવનારી વાત એ છે કે, ગુજરાત સરકારે અમદાવાદનું નામ કર્ણાવતી કરવા કોઈ દરખાસ્ત હજુ સુધી કેન્દ્ર સરકારને મોકલી જ નથી.


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરના પ્રશ્નમાં જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લેખિતમાં જવાબ આપ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી કરવા સરકારે કોઈ માગણી કે દરખાસ્ત મોકલી નથી. વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી કરવા કોઈ માગણી કે દરખાસ્ત મોકલવામાં આવી નથી.