ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્યોને જયપુરના ફાઈવસ્ટાર શિવવિલાસ પેલેસમાં ખસેડાયા? જાણો તેમનાં નામ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Mar 2020 10:33 AM (IST)
બીજા તબક્કામાં કોંગ્રેસના 36 ધારાસભ્યોને હવે પછી જયપુર ખસેડાશે જ્યારે અન્ય પાંચ ધારાસભ્યો કોઈ બીજા રિસોર્ટમાં લઈ જવાશે
ગાંધીનગરઃ રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખતાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ તોડવા પ્રયત્ન કરશે એ નક્કી છે. ભાજપ ત્રીજી બેઠક જીતવા પોતાના ધારાસભ્યોને તોડે નહીં એટલે ગુજરાત કોંગ્રેસના 14 ધારાસભ્યોને જયપુર ખસેડાયા છે. બીજા તબક્કામાં કોંગ્રેસના 36 ધારાસભ્યોને હવે પછી જયપુર ખસેડાશે જ્યારે અન્ય પાંચ ધારાસભ્યો કોઈ બીજા રિસોર્ટમાં લઈ જવાશે. આ સિવાય જેમને તોડી શકાય તેમ નથી તેવા 15થી 18 ધારાસભ્યોને ગુજરાતમાં રખાશે. જયપુર લઈ જવાયેલા ધારાસભ્યોને શિવવિલાસ પેલેસ રીસોર્ટમાં રખાયા છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે. 1-અજીતસિંહ ચૌહાણ(બાલાસિનોર) 2-રાજેશ ગોહિલ(ધંધુકા) 3-રૂત્વિજ મકવાણા(ચોટીલા) 4-પુનમભાઈ પરમાર(સોજીત્રા) 5-હર્ષદ રિબડીયા(વિસાવદર) 6- બળદેવજી ઠાકોર(કલોલ) 7-ઈન્દ્રજીતસિંહ(મહુધા) 8- લાખાભાઈ ભરવાડ(વિરમગામ) 9- ચંદનજી ઠાકોર(સિદ્ધપુર) 10- નાથાભાઈ પટેલ(ધાનેરા) 11- ચિરાગ કાલરિયા(જામજોધપુર) 12- હિંમતસિંહ પટેલ(બાપુનગર) 13-ગેનીબેન ઠાકોર(વાવ) 14-કાંતિ પરમાર(ઠાસરા)