Gujarat Politics: ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2022માં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રેક્રોડ બ્રેક 156 સીટો જીતી હતી. ગુજરાતના ઈતિહાસમાં કોઈપણ રાજકીય પક્ષને આટલી સીટો મળી નથી. જોકે હવે ભાજપે ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કામગીરી કરનારા નેતાઓ, કાર્યકરો સામે કામગીરી કરવાનું મન બનાવી લીધું છે. જે માટે ભાજપ દ્વારા શિસ્ત સમિતિની રચાના કરવામાં આવી છે.


કયા ઝોનમાંથી સૌથી વધુ ફરિયાદ મળી


ભાજપની શિસ્ત સમિતિ 650 જેટલી મળેલી ફરિયાદની સત્યતા ચકાસી છે. સૌથી વધુ ફરિયાદો સૌરાષ્ટ્ર ઝોનમાંથી આવી હતી. સૌરાષ્ટ્ર અને કચ્છની 150 ફરિયાદો પર શિસ્ત સમિતિએ મંથન કર્યું. આ સિવાય ઉત્તર ઝોનમાંથી મળેલી 125થી વધુ ફરિયાદો સાંભળવામાં આવી હતી. રાજકોટ,સુરેન્દ્રનગર,ખેડા,સાબરકાંઠા અને પાટણ જિલ્લામાથી સાંસદો સામે ફરિયાદ મળી હતી. અમરેલી,બોટાદ,જામનગર અને પોરબંદર જિલ્લામાં પણ પક્ષના મોટા નેતાઓ સામે ફરિયાદ થઈ હતી.


રિપોર્ટ બાદ પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર સામે ભાજપ પગલાં લેવાશે

શિસ્ત સમિતિમાં 50થી વધુ ખોટી ફરિયાદો મળ્યા હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ચાર દિવસ શિસ્ત સમિતિએ ઝોન પ્રમાણે ફરિયાદો સાંભળી હતી. સૌથી ઓછી ફરિયાદ મધ્ય ઝોનમાંથી મળી હતી. જિલ્લાસ્તરે સંગઠનના હોદેદારો અને સાંસદોની ફરિયાદ મળી હતી. શિસ્ત સમિતિએ ફરિયાદી અને આક્ષેપિતને સાંભળીને રિપોર્ટ તૈયાર કર્યો. શિસ્ત સમિતિએ ફરિયાદો અંગે તૈયાર કરેલો રિપોર્ટ કોર કમિટીને સોંપવામાં આવશે. રિપોર્ટ બાદ પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર સામે ભાજપ પગલાં લઈ શકે છે.


 શિરડી જતાં શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 10નાં મોત


આજે નાસિક શિરડી હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શિરડીમાં સાઇબાબાના દર્શને જતી બસ ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 10 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ બસમાં લગભગ 50 લોકો સવાર હતા. નાસિક પોલીસે જણાવ્યું કે અકસ્માત નાશિક-શિરડી હાઈવે પર પથારે પાસે થયો હતો. બસ સાંઈ બાબાના ભક્તોને લઈ જઈ રહી હતી. ત્યાર બાદ તે ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા