ગાંધીનગરઃ ગુજરાતની રૂપાણી સરકારે રાજયના કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. જેનાથી રાજ્યના સરકારી કર્મચારીઓને પગારમાં મોટો વધારો થવાનો છે. રૂપાણી સરકારે સાતમા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરી છે. આ લાભ 1-1-2016 થી આપવામાં આવશે.


એરીયર્સની રકમના 50 ટકા પહેલો હપ્તો રાજ્ય સરકાર ચૂકવી આપશે. રૂપાણી સરકારના આ નિર્ણયને પગલે સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર ફરી વળી છે.