ગાંધીનગરઃ પોલીસ ગ્રેડ પેને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ મુદ્દે ગૃહ વિભાગની બેઠક મળી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની બેઠક મળી. બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી આશિષ ભાટિયા, અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગ રાજીવકુમાર ગુપ્તા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. 


બેઠક પછી બ્રિજેશ ઝા, આઈજીપી વહીવટે જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યમંત્રીએ પે ગ્રેડ અંગેની તમામ જાણકારી એકઠી કરી. પોલીસકર્મીઓને કેટલો પગાર મળે છે તેની જાણકારી આપવામાં આવી છે. પોલીસ કર્મચારીઓની તકલીફ અંગે પણ સમીક્ષા કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની ફરિયાદ માટે પોલીસ વિભાગમાં સિસ્ટમ બનેલી છે. દાદ ફરિયાદ વિભાગ પાસે ફરિયાદ નહીં, પરંતુ સોશિયલ મીડિયામાં વિરોધ કેમ તેની ચર્ચા થઈ. કોઈ પણ રાજ્યમાં કોન્સ્ટેબલને 4200 ગ્રેડ પે અપાતો હોય તેવું ધ્યાનમાં નથી આવ્યું. તમામ પ્રકારના મુદ્દાઓને લઈને પ્રાથમિક ચર્ચા થઈ. અલગ અલગ રાજ્ય પાસેથી કોન્સ્ટેબલના ગ્રેડ પે અંગેની માહિતી મેળવાઈ. ગુજરાતમાં ગ્રેડ પે નહીં, પરંતુ સાતમા પગાર પંચ પ્રમાણે પગાર ચૂકવાય છે. કોઈની પણ સામે શિસ્ત ભંગના પગલા લેવાશે કે નહીં તે અંગે ચર્ચા થશે. રિપોર્ટ મેળવ્યા બાદ કોઈપણ સામે કાર્યવાહી કરવી કે નહીં તે નક્કી થશે. અત્યારે પગરા માટે ચર્ચા કરવામાં આવી, ભથ્થા અંગે આગળ ચર્ચા કરાશે. 


 


ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે 48 ઇન્ટરસેપટર વિહીલ આજે રાજ્ય સરકારને મળ્યા છે. 44 જેટલી હાઇવે પેટ્રોલીગ વાન આજે પોલીસ વિભાગમાં સામેલ થઈ છે. બીજી 1100 નવું ગાડીઓ પોલીસ વિભાગ માટે ખરીદવામાં આવશે. ગ્રેડ પે મુદ્દે ગુજરાત પોલીસ દ્વારા એક સ્ટેટમેન્ટ આપી દેવામાં આવ્યું છે. રાજ્યના કોઈ પણ વિષય યોગ્ય રીતે અમારી પાસે મુકેલા હોય ત્યારે તે વિષયને અમે ખૂબ પોઝિટિવ રીતે લેતા હોય છે.


પોલીસ વિભાગના જવાનોની ગ્રેડ પેની માગણી અંગે નેતા વિપક્ષ પરેશ ધાનાણીનું નિવેદન પણ સામે આવ્યું છે. વિપરીત સમયમાં પણ કામ કરતા ખાખીના જવાનોને સમર્થન કરીએ છીએ. સામાન્ય પ્રજા આજે ભયના ઓથાર નિચે ડરી રહ્યો છે. સત્તાધીશો પોલીસ પાસે પટ્ટાવાળાની જેમ  કરાવે છે. અમે પટ્ટાવાળા નહી પણ એક જવાન છીએ. હેડ કોન્સ્ટેબલ , કોન્સેટબલ, એ એસ આઇ ગ્રેડ માંગ યોગ્ય છે. હું અને કોંગ્રેસ કાર્યકર્તા પોલીસ જવાન માગણી સમર્થનમાં છું. મોંઘવારી વધી છે પણ વ્યાજબી માંગ સ્વિકાર કરાય. સરકાર પોલીસને પટ્ટાવાળા સમજે છે. વિધાનસભાના પગથિયા પર બેસી હાર્દિકે પોતાની ખુમારી બતાવી. કોંગ્રેસ હાર્દિક જેવા અનેક યુવા પોલીસ સાથે છે. ખાખીની ખુમારી વંદન કરુ છું.


દિવાળી પછી શરૂ થશે ધોરણ 1થી 5ની સ્કૂલો? જાણો સ્કૂલો શરૂ કરવાની કોણે કરી માંગ?


રાજકોટઃ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા માગ કરવામાં આવી છે. ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા શિક્ષણ મંત્રીને રજુઆત કરવામાં આવી છે. કોરોનાના કેસ ઘટતા હવે સ્કૂલો શરૂ કરવા વાલીઓ માંગ કરતા હોવાનું ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું. જોકે, આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ધો. 1 થી 5ની શાળા શરૂ કરવા બાબતે આરોગ્યમંત્રીનું નિવેદન, શાળા શરૂ કરવા આરોગ્ય વિભાગે નથી આપ્યો અભિપ્રાય, બાળકોના આરોગ્યને અનુલક્ષીને અભિપ્રાય અપાશે.


ઓનલાઈન શિક્ષણથી નાના બાળકોને અસરો જોવા મળે છે. ઓફલાઈન શિક્ષણના અનેક ફાયદાઓ છે. બાળકો મોબાઈલના ગેરઉપયોગ કરી રહ્યા છે. બે વર્ષમાં બાળકોના જીવન પર અનેક અસરો થઈ છે. બાળકો ઉગ્ર થઈ ગયા હવે નાના બાળકો માટે સ્કૂલો શરૂ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. આજે 95 ટકા વિદ્યાર્થીઓ સ્કૂલે આવતા થયા છે. સાથે 1 થી 2 ધોરણના વિદ્યાર્થીઓ ક્યારેય સ્કૂલે ગયા જ નથી તો વહેલી તકે સ્કૂલો શરૂ થવી જોઈએ. જેથી નાના બાળકોનો પાયો પાકો થઈ જાય.


નોંધનીય છે કે, 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના (Offline Classes) વર્ગ શરૂ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ સુધરતા સરકારે 15 જુલાઈથી તબક્કાવાર શિક્ષણકાર્ય અનલોક કર્યું છે. જે અંતર્ગત કોલેજો અને ધોરણ 12ની સ્કૂલો (Offline Classes) શરૂ કરાયા બાદ ધોરણ નવથી 11ની સ્કૂલ (Offline Classes) શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2 સપ્ટેમ્બરથી રાજ્યની તમામ બોર્ડની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં ધોરણ છથી આઠના વર્ગોમાં (Offline Classes) શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.


સ્કૂલો માટે તકેદારીના ભાગરૂપે જાહેર કરાયેલ શિક્ષણ વિભાગની એસઓપી મુજબ વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે અને ઓનલાઈન (Online Classes) શિક્ષણ પણ ચાલુ રાખવાનું રહેશે. તેમજ વિદ્યાર્થીઓને વાલીની લેખિત સંમિત બાદ જ બોલાવવાના રહેશે. આ ઉપરાંત સ્કૂલ કેમ્પસમાં બાળકો એકઠા ન થાય અને આવતા જતા સમયે એક સાથે ટોળામાં ન જાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.


સ્કૂલમાં રોજિંદી સમૂહ પ્રાર્થના તેમજ રમત ગમત અને સાંસ્કૃતિ કાર્યક્રમો આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવાના રહેશે. એટલુ જ નહી ક્લાસરૂમમાં 50 ટકાની ક્ષમતામાં જ વિદ્યાર્થીઓને સોશલ ડિસ્ટસિંગ સાથે બેસાડવાના રહેશે.