બીજી તરફ ખાનગી સ્કૂલના સંચાલકોએ જરૂરિયાદમંદ અને ગરીબ વિદ્યાર્થીની ફી તેની પરિસ્થિતિ મુજબ ઘટાડવા તૈયારી દર્શાવી હતી. સરકારે તમામ વિદ્યાર્થીઓની ફીમાં 25 ટકા ઘટાડો કરવા આપેલી ફોર્મ્યુલા આપી હતી. જોકે, આ બાબતે પ્રાથમિક ચર્ચામાં સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓની ફીમાં રાહત આપવાની દલીલને નકારી હતી.
સાથે ટયુશન ફી સિવાય અન્ય ફીમાં 25 ટકા ઘટાડો કરવા સંચાલકોએ તૈયારી દર્શાવી હતી. આગામી સમયમાં ફરી ફી અંગે સંચાલકો અને શિક્ષણ વિભાગ પરામર્શ કરશે.