અમદાવાદ: ગુજરાત વાહન વ્યવહાર વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. એસટી વિભાગે બસોની ગતી મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. વોલ્વો, સ્લીપર કોચ, ગુર્જનગરીની તમામ બસોમાં ગતી મર્યાદામાં સુધારો કરવામાં આવશે. ગતી મર્યાદા 80 કિલોમીટર પ્રતી કલાકની કરવામાં આવશે. જ્યારે લોકલ બસોની મર્યાદા 65 કિલોમીટર પ્રતીકલાક કરવામાં આવશે. આ પહેલા વોલ્વોમાં તેમજ લોકલમાં 60 ની ગતી મર્યાદા હતી. મુસાફરોની સુવિધા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.