જામનગર ગ્રામ્ય વિધાનસભા સીટ માટે 28 માર્ચના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 5 એપ્રિલ છે. જ્યારે ફોર્મ ખેંચવાની તારીખ 8 એપ્રિલ છે. 23 એપ્રિલના રોજ મતદાન યોજાશે અને 23 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 23 એપ્રિલના રોજ લોકસભા-2019 માટે પણ મતદાન થવાનું છે.
ઉલ્લેખનીય છે કે, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા સિવાય ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે.