ગાંધીનગરઃ રાજ્યમાં બાળકોમાં કોરોના સંક્રમણ જોવા મળતા શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે. શિક્ષણ વિભાગે આ અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં શાળા સંચાલકોને વધુ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે.


પરિપત્રમાં સ્કૂલોને આદેશ આપવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણના લક્ષણ દેખાય તો DEO-DPOને જાણ કરવામાં આવે. તે સિવાય સ્કૂલોમાં તકેદારી માટે સરકારે  નિર્દેશ આપ્યા હતા. સાથે શાળામાં ઓફલાઈનની સાથે ફરજિયાત ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનો પણ આદેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યની શાળાઓ બંધ રાખવાની માંગણીને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પરોક્ષ રીતે ફગાવી હતી.


ગઇકાલે ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, બાળકો ખાસ કરીને સ્કૂલમાં ભણે છે, ત્યારે રાજ્ય સરકાર પણ એના માટે સંવેદનશીલ છે. એમાં ખાસ વધારે અવેરનેસ રાખીને, સાવચેતી રાખીને ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય એ ખૂબ જરૂરી છે. આ સમયમાં સાવચેતીની ખૂબ જ  આવશ્યકતા છે. ડરવાની જરૂર નથી. લડવાની આવશ્યકતા છે. સાથે સાથે અવેરનેસ પણ રાખીએ આપણા બાળકની. અને આમ જનતાની પણ એટલી જ ચિંતા આપણે સાથે મળીને કરીએ તો આમાં પણ આપણને જીત ચોક્કસ મળશે. 


પેપરલીક કાંડમાં થયો મોટો ખુલાસો, આ પ્રિન્ટિંગ પ્રેસમાંથી હેડ ક્લાર્કનું પેપર થયું હતું લીક


 


Alert: 1 જાન્યુઆરીથી આ બેંકમાં 10 હજાર રૂપિયાથી વધારે જમા કરાવવા પર આપવો પડશે ચાર્જ, કેશ વિડ્રોલ પણ થશે મોંઘુ


 


ગુજરાતના આ નાના ગામડામાં જર્મનીના યુવકે રશિયાની યુવતી સાથે હિન્દુ વિધિથી કર્યા લગ્ન, જાનૈયા બન્યા ગુજરાતીઓ, જાણો વિગતે


ઓમિક્રૉનના ભય વચ્ચે ક્રિસમસ સમયે જ આ મોટા શહેરમાં ટોળુ ભેગુ થવા પર લાદ્યો પ્રતિબંધ, બીજા શેના પર ફરમાવાઇ મનાઇ, જાણો વિગતે