આકાશમાંથી દેખાયો મહાઆરતીનો અદભુત નજારો, 30 હજાર લોકોએ રચ્યું ગાંધીજીનું મુખારવિંદ
abpasmita.in | 07 Oct 2019 02:57 PM (IST)
વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ નવરાત્રીનું રવિવારે આઠમું નોરતું હતું. આ પ્રસંગે ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવલી નવરાતના ગરબા મહોત્સવમાં આઠમની મહાઆરતીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજ્યંતિના વર્ષે દિવ્ય ભાવાંજલિ આપવામાં આવી હતી.
ગાંધીનગરઃ વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ નવરાત્રીનું રવિવારે આઠમું નોરતું હતું. આ પ્રસંગે ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવલી નવરાતના ગરબા મહોત્સવમાં આઠમની મહાઆરતીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજ્યંતિના વર્ષે દિવ્ય ભાવાંજલિ આપવામાં આવી હતી. 30 હજાર નાગરિકો તથા ગરબા પ્રેમીઓએ હાથમાં દીવડા લઈ આદ્યશક્તિની મહાઆરતીમાં બાપુનું મુખારવિંદ રચ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે ટ્વિટ કર્યું હતું. યસ બેંકનો શેર ઊંધા માથે પછડાતા લેવી પડી પોલીસની મદદ, જાણો કેમ અશોક ગેહલોતના ‘ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે’ નિવેદન પર રૂપાણી-વાઘાણીએ શું કહ્યું, જાણો વિગતે ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને ભલે હરાવ્યું પણ છે એક નબળાઈ, જે પડી શકે છે ભારે, જાણો વિગતે