ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ દ્વારા ઘણા ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા નહોતા. આ ઉપરાંત ઘણા ઉમેદવારો ચૂંટણી હારી ગયા હતા. જે બાદ ગાંધીનગરમાં તેમના સરકારી નિવાસસ્થાનો ખાલી કરવાના હતા. જો કે ઘણા નેતાઓએ તેમના નિવાસ્થાનો ખાલી કર્યા નહોતા. જેના કારણે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને આવાસ ફાળવવામાં તકલીફ પડી રહી હતી. હવે આ મામલે રાજ્યના 17 ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યને નોટિસ ફટકારવામાં આવી છે. ધારાસભ્ય નિવાસ્થાન ખાલી કરવા અંગે નોટિસ ફટકારવામાં આવી છે. નવા ધારાસભ્યોને નિવાસસ્થાન ફાળવ્યા છતાં આ લોકોએ ખાલી ન કરતા નોટિસ ફટકારવામાં આવી છે.
આ ધારાસભ્યોને ફટકારવામાં આવી નોટિસ
1.બાબુ વાજા, માંગરોળ2.સુમન ચૌહાણ, કાલોલ3.સંતોકબેન અરેથીયા, રાપર4.સુરેશ પટેલ, માણસા5. દુષ્યંત પટેલ, ભરૂચ6. વિક્રમ માંડમ, ખંભાળીયા7. જગદીશ પટેલ, અમરાઇવાડી8. ગ્યાસુદીન શેખ દરિયાપુર9. કૌશિક પટેલ,નારાયનપુરા10.ચંદનજી ઠાકોર, સિદ્ધપુર11.રાઘવજી મકવાણા, મહુવા12.કાળુભાઇ ડાભી, કપડવંજ13.કાંતિભાઈ સોઢા,આણંદ14.અજીતસિંહ ચૌહાણ, બાલાસીનોર15.અશ્વિન કોટવાલ, ખેડબ્રહ્મા16.હર્ષદ રિબડીયા, વિસાવદર17.પરસોતમ સોલંકી, ભાવનગર ગ્રામ્ય
પગારથી વંચિત પ્રવાસી શિક્ષકો માટે મહત્વના સમાચાર
ગાંધીનગર:ફરી એકવાર એબીપી અસ્મિતાના અહેવાલની અસરના કારણે પગારથી વંચિત રહેલા પ્રવાસી શિક્ષકોને ન્યાય મળ્યો છે એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમના માધ્યમ થકી અમદાવાદ સહિત રાજ્યભરમાં કામ કરતા પ્રવાસી શિક્ષકોને પગારથી વંચિત રેહવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એબીપી અસ્મિતા 25 મી જાન્યુઆરીએ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળામાં પ્રવાસી શિક્ષક તરીકે કામ કરતા શિક્ષકોને સાત મહિનાથી પગાર ન થયો હોવાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. જે બાદ અમદાવાદમાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં કામ કરતા શિક્ષકોના પગાર માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.
શાળા કમિશનરની કચેરી મારફતે ગ્રાન્ટની ફાળવણી કર્યા બાદ એક સપ્તાહમાં પ્રવાસી શિક્ષકોના ખાતામાં પગારની રકમ જમા થશે. અમદાવાદ સહિત રાજ્યભરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અંદાજે ચારથી પાંચ હજાર જેટલા પ્રવાસી શિક્ષકો કાર્યરત છે. જ્યાં કેટલાક સ્થાન પર ગ્રાન્ટ ન મળવાના કારણે પગાર ચૂકવાયો ન હતો જેના કારણે શિક્ષકોની કફોડી હાલત બની હતી. જોકે હવે અમદાવાદ સહિત એક બાદ એક જ્યાં બાકી હોય ત્યાં ગ્રાન્ટની ફાળવણીની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે.રાજ્ય સરકારે વર્ષ 2016 દરમિયાન રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટનાને પહોંચી વળવા માટે પ્રવાસી શિક્ષકોનો વિકલ્પ શરૂ કર્યો હતો. જેમાં શિક્ષકોને દિવસના મહત્તમ 5 પીરીયડ નકકી કરવામાં આવ્યા હતાં. માધ્યમિક શિક્ષકોને મહિને 16,500 અને ઉચ્ચતર માધ્યમિક શાળાને મહિને 16,700 પગાર મળતો હોય છે.