ગાંધીનગરઃ ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, આ બધા વચ્ચે આ ચૂંટણીઓને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સામાચાર એજન્સી ANIના હવાલાથી આવેલા અહેવાલો પ્રમાણે દેશમાં 7 સપ્ટેમ્બર સુધી યોજાનારી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. દેશમાં કોરોના મહામારી અને કેટલાક રાજ્યોમાં પૂરની સ્થિતિને ધ્યાને લઈને ભારતીય ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો સમાચાર એજન્સી દ્વારા કરવામાં આવ્યો છે.


નોંધનીય છે કે, ગુજરાતમાં મોરબી, ગઢડા, લીંબડી, અબડાસા, કરજણ, ડાંગ, કપરાડા અને ધારી બેઠક પર સપ્ટેમ્બર મહિનામાં પેટાચૂંટણી યોજાવાની હતી. જોકે, ચૂંટણી પંચના નિર્ણયને કારણે ગુજરાત સહિત દેશમાં યોજાનારી પેટાચૂંટણીઓ હાલ પુરતી ટળી ગઈ છે. ચૂંટણી પંચ દ્વારા અહેવાલમાં કહેવાયું છે કે, અનુકુળ સમયે આ ચૂંટણીઓ યોજવામાં આવશે.