રાજ્યમાં સ્કૂલો શરુ કરવાને મામલે શિક્ષણ મંત્રી, ઉચ્ચ શિક્ષણ સચિવ સહિતના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સમાં હાજર રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ પણ બેઠકમાં પહોંચ્યા છે. જી.સી.ઇ.આર.ટીના નિયામક પણ બેઠકમાં પહોચ્યાં છે. શિક્ષણ સચિવ વિનોદ રાવ પણ પહોંચ્યા છે. રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે પણ સ્વર્ણિમ સંકુલ વન પહોંચ્યા છે.
શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે શિક્ષણ મંત્રીની મહત્વની બેઠક પછી અંતિમ નિર્ણય લેવાશે. દિવાળી બાદ શાળાઓ ખોલવા ન ખોલવા સંદર્ભે મોટા નિર્ણય લેવાઈ શકે છે.