મળતી માહતી પ્રમાણે, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોવા માટે દિન-પ્રતિદિન પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે આ વર્ષના ગુજરાત સરકારના બજેટમાં 387 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેને લઈને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે. ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ જેવી ‘ફેરી બોટ’ સેવા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે શરૂ કરાશે.
હાલમાં જંગલ સફારીથી લઈને અનેક આકર્ષણો અહીં છે. ત્યારે આગામી દિવસોમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વિસ્તારમાં પ્રવાસીઓ માટે શહેરી બસ સેવા પણ શરૂ કરવામાં આવશે અને આ ફેરી બોટ સેવા ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ પણ શરૂ કરવામાં આવશે. જે માટે તંત્ર દ્વારા જલ્દી કામ ચાલી રહ્યું છે. તેમજ આગામી સમયમાં અન્ય અનેક અને અનોખી સુવિધાઓ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે.